ભાવનગર મા 16 વર્ષ ની દીકરીએ ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો ! કારણ જાણી આંચકો લાગશે..રોજ ત્રણ યુવકો દ્વારા
હાલમાં જ ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં દુઃખ દાયી બનાવ બન્યો છે. 15 દિવસ પહેલાં મોટાસુરકા ગામે લુખ્ખા તત્ત્વોના ત્રાસથી 16 વર્ષની સગીર દીકરી હિમાંશી જસાણીએ ઝેરી દવા પીને પાણીના ટાંકામાં કૂદી ગઈ હતી. બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા હતા. પાટીદાર આગેવાનોએ આ કેસમાં છેક મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને ત્રણ યુવકની ધરપકડ કરી હતી.
એક ઘટના અંગે વધુ જાણીએ તો હિમાંશી પિતા મનોજભાઇ જણાવ્યું હતું કે, ‘આ ઘટના 9 તારીખે સાંજે 8 વાગ્યા પછી બની હતી. એ દિવસે અમારા ઘરે પ્રસંગ હતો. મારા કૌટુંબિક મોટા બાપુજીના છોકરાના લગ્ન હતા. સાંજે 5 વાગ્યે અમે જાન લઈને પરત પણ ઘરે આવી ગયા હતા. સાંજે 7 વાગ્યે મારા નાના ભાઇને સુરત જવું હતું. તેને મૂકવા હું બસ સ્ટેન્ડ ગયો હતો. મારાં મમ્મી અને ભાભી બંને ઘરે હતાં. સાંજે સવા આઠ વાગ્યે મારાં ભાભી સત્સંગમાં ગયાં હતાં. એ સત્સંગમાં જતાં જ હોય છે. હિમાંશીએ મારાં મમ્મીને સોડા લેવા બહાર મોકલ્યાં અને દીકરીએ આ પગલું ભરી લીધું.’
‘હિમાંશી ભણવામાં ઘણી હોશિયાર હતી. બારમા ધોરણમાં ભણતી અને ત્રીજો નંબર લાવતી હતી. તે એવું કહેતી હતી કે મારા ભાઈઓ જે ભણ્યા છે તેના કરતાં સારું ભણવું છે. હું મારી દીકરીને એવી રીતે રાખતો કે એને કોઈ તકલીફ ન પડે. એ દિવસે હિમાંશીએ મારી મમ્મીને કહ્યું કે ‘બા, સોડા ( લઈ આવોને.’ એટલે મારાં મમ્મી સોડા લેવા ગયાં. એ અવારનવાર કંઈ મગાવતી હોય છે એટલે મારાં મમ્મીને બીજું કંઈ સૂઝ્યું નહીં. ત્યારે બીજું કોઈ ઘરે નહોતું. તેણે દરવાજો બંધ કરી દીધો. બાદમાં ખડ (ઘાસ) બાળવાની દવા પીને એ ઘરની અંદર આવેલા પાણીના ભૂગર્ભ ટાંકામાં ઊતરી ગઈ.
‘હું જ્યારે ઘરે હાજર હતો ત્યારે મને એવું કંઈ દેખાયું નહોતું. બે દિવસ અગાઉ તે મારી સાથે આખો દિવસ રહી. વસ્તુઓ મગાવી. તેની મમ્મી સુરત હતી. તેની સાથે વીડિયો પર વાત થઈ ત્યારે પણ કંઈ નહોતું લાગ્યું. કદાચ એ દબાણમાં હોય, મને કંઈ કહ્યું જ નહોતું. કહ્યું હોત તો ફરિયાદ કરત.
દીકરી હિમાંશીએ અંતિમ પગલું કેમ ભર્યું એ જાણવા માટે પછી અમે તેની બહેનપણીઓ સાથે વાત કરી. ત્યારે તેમણે કહ્યું કે ગામના ત્રણ લુખ્ખા યુવકો તેને રોકતા અને ટોકતા. મોટર લઈને નીકળતા. મને લાગે છે કે તેમનો ત્રાસ તો પૂરેપૂરો હશે તો જ આવી ઘટના બને.ન 10 દિવસ પહેલાં મને ગામમાંથી ખબર પડી હતી કે લુખ્ખાં તત્ત્વોએ મારી દીકરીને હેરાન કરી હતી. હું ફરિયાદ પણ કરવા જવાનો હતો, પણ દરમિયાન ઘરમાં લગ્નપ્રસંગ આવ્યો, તો પછી પોલીસમાં જવાનું નક્કી કર્યું હતું.હિમાંશીની બહેનપણીઓ આ કેસમાં સાક્ષી બની છે. તેમને જે ખબર હતી એ બધું તેમણે લખાવ્યું છે. કઈ રીતે ટ્યૂશનમાં જતી વખતે હેરાન કરતા હતા.
અગાઉ પણ આ ત્રણેયે લુખ્ખાઓએ ઘણી છોકરીઓને હેરાન કરેલી છે. તેમણે કોઈ ફરિયાદ ન કરી એટલે આ બધું થયું. એક છોકરીના તો લગ્ન પણ તોડાવી નાખ્યા હતા, એવું મેં સાંભળેલું છે. એક બીજી છોકરીને પણ હેરાન કરી હતી. ત્રણ આરોપીનાં નામ સામે આવ્યાં છે, જેમાં વિપુલ જોટાણા ઉર્ફે બિગ બી (ગાયત્રી પાર્ક સોસાયટી, સિહોર), મહેશ જોટાણા ઉર્ફે પપ્પુ (મોટા સુરકા) અને એક સોળેક વર્ષનો સગીર છે અને ભણે છે. જ્યારે વિપુલ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને મહેશ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલો છે. મુખ્ય આરોપી વિપુલ જોટાણા છે.
ઘટના અંગે તપાસ અધિકારી પીઆઈ પીબી જાદવે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે હિમાંશીએ આત્મહત્યાનું પગલું ભર્યા બાદ ત્રણે આરોપી ભાગી ગયા હતા. પોલીસ અલગ અલગ ટીમ બનાવીને તેમને શોધી રહી હતી, ત્યારે બાતમીને આધારે 10 દિવસ બાદ વરતેજ નજીક આવેલી રંગોળી હોટલ પાસેથી પકડાયા હતા. હાલ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. તેમના મોબાઈલ ફોન તથા અન્ય મુદ્દામાલ ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યો છે. તેમના ફોનમાંથી પણ ચેટ મળી આવી છે.હ