Viral video

પોતાની પ્રીય ગાય નુ અવસાન થતા શનિભાઈ ધૃસકે ધૃસકે રડી પડ્યા…વિડીઓ જોઈ આખ મા આસું આવી જશે…જુઓ વિડીઓ

આ જગતમાં દરેક વ્યક્તિ કે જીવ લાગણી અને પ્રેમના સંબંધે બંધાયેલા હોય છે. આજે અમે આપને એક એવો કરુણદાયી અને હદયસ્પર્શી વાત જણાવીશું કે તમારી આંખમાંથી આંસુઓ આવી જશે. આ પૃથ્વી પર તમામ મનુષ્યો અને પ્રાણીઓ અને પક્ષીઓનો સમાન અધિકાર છે અને આજના સમયમાં તો માણસ તમામ જીવો સાથે પરિવારના સભ્ય જેવી જ લાગણીથી બંધાયેલ હોય છે. હાલમાં જ એક આવો હદયસ્પર્શી વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના સુરત શહેરની છે. વાત જાણે એમ છે કે, શનિભાઈ ભરવાડની પ્રિય ગાય જમાનાનું નિધન થઈ જતા ચોંધારે આસુઓએ રડી પડ્યા હતા અને આ હદયસ્પર્શી વિડીયો જ્યારે જોશો તો તમારી આંખો પણ જરૂરથી ભીની થઇ જશે. આ વીડિયો એવો છે કે, જેનું વર્ણન શબ્દોમાં ન થઈ શકે કારણ કે લાગણીને અનુભવાની હોય છે, તેને શબ્દોમાં ન કહી શકાય.

આ હદયસ્પર્શી ઘટના વિશે વધુ વિગતવાર માહિતી જાણીએ તો . સુરત શહેરના અબ્રામા વિસ્તારમાં જમના નામની ગૌશાળા આવેલી છે. આ ગૌશાળામાં અનેક ગાયો છે, જેમાં શનિભાઈને જમના નામની ગાય સાથે ખૂબ જ પ્રીતિ અને લાગણી બંધાયેલ છે આ ગૌશાળામાં સૌની વ્હાલી એવી જમનાનું અચાનકથી નિધન થઈ જતા શોકનું મોજું ફરી વળ્યું હતુઁ. જાણે કોઈ પરિવારના સભ્યનું મોત થયું હોય એવી જ રીતે હિન્દૂ રિતી રિવાજ મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી.

તમે વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકો છો કે, ગૌશાળાના માલિક શનિભાઈ ભરવાડ જમના અને ગળે વળગીને ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ વીડિયો જોઈને સૌ કોઈની આંખમાં આંસુઓ આવી ગયા હશે અને સૌ કોઈએ ગૌમાતાને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમની આત્માને શાંતિ મળે એવી દ્વારકાધીશના ચરણોમાં સૌ કોઈ ગૌપ્રેમીઓએ પ્રાર્થના કરી છે.

જે રીતે પરિવારના કોઈ સભ્યનું નિધન થાય અને 12 દિવસ સુધી શોક પાડવામાં આવે છે, એવી જ રીતે જમના ગૌમાતા માટે પણ નિત્ય રાત્રે ધૂન અને ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ
ગૌમાતાની પાણીઢોરની ક્રિયા પણ કરવામાં આવશે, જેથી એ તો ચોક્કસ કહી શકાય કે શનિભાઈને જમના સાથે કેટલો લગાવ અને પ્રેમ હશે.

તમને જણાવી દઈએ કે જમના નામ પરથી જ શનિભાઈએ પોતાની ગૌશાળાનું નામ જમના રાખ્યું છે તેમજ જમનાએ અત્યાર સુધીમાં 12 વખત વાછરડાને અને 11 વખત જમનાએ વાછરડીને જન્મ આપ્યો હતો. દુઃખ વાત એ છે કે, જમના વાછડાને જન્મ આપે તે માટે ગૌશાળાના માલિક શનીભાઈ ભરવાડે માનતા પણ રાખી હતી અને બનાવ એવો બન્યું કે, જમનાએ 12મી વખત વાછરડાને જન્મ તો આપ્યો પરંતુ ડિલિવરી સમયે ગર્ભાશયને ઇજા થતાં બીમાર હતી અને 4 દિવસ બાદ જમવાનું છોડી દીધું અને આખરે પોતાના પ્રાણ છોડીને વૈકુંઠધામ ચાલી ગઈ.

શનિભાઈ ભરવાડની માનતા તો ફળી પરંતુ જમનાને ખોઈ બેઠા. શનિભાઈને જમના પોતાના જીવ કરતાં પણ વધારે વાલી હતી. કારણકે એક વખત એક ગ્રાહક દ્વારા જમનાને 25 લાખ રૂપિયામાં માગવામાં આવી હતી છતાં શનિભાઈએ ન આપી એજ શનિભાઈનો સાચો પ્રેમ અને લાગણી છે. ખરેખર હાલમાં સૌ કોઈ શનિભાઈના આ ગૌપ્રેમને સલામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!