ગુજરાતી અભીનેત્રી ઝીલ જોશી એ લોકોને હાથ જોડી ને વિનંતી કરતા કહ્યુ કે ” પરણેલ સ્ત્રી હોય……જુઓ વિડીઓ
હાલમાં સોશિયલ મીડીયામાં ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીની એક રિલ્સ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ રિલ્સમાં ઝીલ જોશીએ એવી સાચી વાત કરી છે કે, સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ઇન્સ્ટાગામમાં રિલ્સનો ક્રેઝ ખૂબ જ છે તેમજ દરેક કલાકારોથી લઈને સામાન્ય લોકો પણ રિલ્સના રંગે રંગાયેલા છે. હાલમાં જ ઝીલ જોશીએ એક ખૂબ જ ઉમદા વાત કરી છે.
આ રિલ્સના માધ્યમથી ઝીલ જોશીએ એક સારો સંદેશ લોકો સુધી પહોંચાડયો છે. ઝીલ જોશીએ રિલ્સમાં સૌને વિનંતી કરતા કહ્યું છે કે, ખોટું લાગે તો માફ કરશો પણ પરણેલ સ્ત્રી હોય કે પુરુષ તેની સાથે ક્યારેય પણ પ્રેમ સંબંધ ન બાંધવો. તમારો પ્રેમ હોય કે મોજશોખ હોય એના માટે થઈને સામેવાળાનું ઘર વિખાય શકે છે.
તમે કહેશો કે, પ્રેમ તો આંધળો હોય છે ગમે ત્યારે ગમે તેની સાથે થઈ શકે છે, એવું નથી તો પછી આપણને કેમ કોઈ રસ્તા પર જતાં છોકરા કે છોકરી સાથે કેમ પ્રેમ નથી થઈ જતો. આપણા મોજશોખ માટે આપણી સાથે રહેતી વ્યક્ત નું જીવન બગડી શકે છે.
ખરેખર આ વાત સો ટકા સાચી વાત છે. પરણીત વ્યક્તિ સાથે પ્રેમ રાખવાથી માત્ર એક નહિ પણ ચાર વ્યક્તિનું જીવન બરબાદ થાય છે તેમજ તેમના બાળકો પણ નોંધારા થવાથી અનેક લોકોનું દિલ દુભાઈ શકે છે. ઝીલ જોશીએ જે વાત કરી છે, એ દરેક યુવાનો અને યુવતીઓ તેમજ પરણેલા દરેક વ્યક્તિ માટે એક ખાસ સંદેશ છે.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.