Gujarat

વિછીયા મા મામા-ભાણીની લાશ વૃક્ષે ગળાફાંસો ખાધેલ હાલત મા મળી આવતા ચકચાર મચી ગયો…પોલીસ તપાસ મા ખુલ્યુ કે બન્ને

પ્રેમ પ્રકરણના અનેક બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ એક એવો પ્રેમ કિસ્સો છે કે જાણીને તમારૂ હૈયુ કંપી જશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામની વાડીમાંથી એક યુવક-યુવતીની ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી.

આ બનાવ અંગે તપાસમાં એવી માહિતી આવી કે ચારો તરફ ચકચાર મચી ગયો છે. વિંછીયા પોલીસ મથકના PSI અને નાયબ મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને બન્નેના મૃતદેહને ઝાડથી નીચે ઉતારી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.. આ બનાવના પગલે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસે બન્ને મૃતકોના પરિવારને જાણ કરી વધુ તપાસ આદરી હતી.

વિંછીયા તાલુકાના અજમેર ગામે રહેતા 22 વર્ષીય રાયધન હરજીભાઈ જોગરાજીયા અને ચોટીલા તાલુકાના આણંદપુર ગામે રહેતી અલ્પાબેન દિનેશભાઈ બાવળીયાની વિંછીયા તાલુકાના હિંગોળગઢ ગામની વીડીમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ
આવ્યા હતા અને તપાસ દ્વારા જાણવા મળ્યું કે, મૃતક બન્ને યુવક અને યુવતી અપરણિત હતા અને તેઓ બન્ને સગા મામા-ભાણકી હોવાનું તેમજ બન્ને એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

મામા ભાણી વ વચ્ચે અતૂટ પ્રેમ હોવાથી સમાજ અને બન્નેના પરિવારજનો તેમના અતૂટ પ્રેમને સ્વીકારશે નહી તેવા ડરથી બન્નેએ આ પગલું ભર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે આ બનાવમાં વિંછીયા પોલીસ દ્વારા બન્ને મૃતકના પરિવારજનોના નિવેદનો લીધા બાદ તેની પૂર્ણ તપાસ થયા બાદ જ બનાવનું સાચું કારણ બહાર આવશે તેવું જણાવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!