સગાઈ બાદ અનંત અંબાણી અને રાધિકા સૌપ્રથમ ગુજરાતની આ ખાસ જગ્યા પર પહોંચ્યા ! જુઓ ખાસ તસવીરો
આપણે જાણીએ છે કે, હાલમાં જ મુકેશ અંબાણીના નાના દીકરા અનંતની સગાઇ થઈ છે. આ સગાઈ તો સાદાઈથી કરવામાં આવી હતી પરંતુ એન્ટીલિયામાં તમામ સંબંધીઓ માટે ધામધૂમથી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપણે સૌ કોઈ જાણીએ છે, કે આ સગાઈની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી, ત્યારે હાલમાં ફરી એક વાત સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે.
હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, સગાઈ બાદ પહેલીવાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જામનગર આવ્યા છે અને એરપોર્ટ પર ઉતરીને તેઓ સીધા રીલાયન્સમાં આવેલી ટાઉનશીપમાં જવા માટે રવાના થયા હતા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સાથે બોલીવુડ સ્ટાર જાનવી કપૂર અને બોની કપૂર પણ ઉપસ્થિત રહ્યા હતા. સગાઈ થયા બાદ નવી જોડી પ્રથમ વખત રિલાયન્સ ટાઉનશીપ પહોંચી છે.
તમને જણાવી દઈએ કે , આ એક રિલાયન્સ કંપની છે જેની શરૂઆત ધીરુભાઈ અંબાણી એ કરી હતી. આ ટાઉનશીપ ખૂબ જ આલીશાન અને વૈભવશાળી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ટાઉનશીપમાં અંબાણી પરિવારનું ઘર પણ આવેલું છે, જ્યાં અંબાણી પરિવાર અવારનવાર રહેવા માટે આવે છે.
રિલાયન્સ ટાઉનશીપ એક શહેર સમાન છે, જ્યાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને તમામ કર્મચારીઓને અહીં રહેવાની સુવિધાઓની સાથે તમામ જીવન જરૂરિયાત અને મનોરંજન અને આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ છે. રિલાયાન્સઈન્ડસ્ટ્રીઝ વિશે તો સૌ કોઈ જાણે છે પણ ત્યાં કામ કરતા લોકો કેવી જગ્યામાં રહે છે.
રિલાયન્સ દ્વારા નિર્માણ કરાયેલી ગ્રીન્સ ટાઉનશિપમાં વિદ્યાવિહાર, ઓવલ પાર્ક, નર્સરી સ્કૂલ, ગેસ્ટ હાઉસ, ઓલ્ડ સિવિક સેન્ટર, સેન્ટ્રલ પાર્ક, સિનેમા, ટેમ્પલ સહિત અનેક વિભાગો આવેલા છે. આ તસવીરો જોઈને તમારું મન મોહી જશે એ નક્કી છે. એન્ટીલિયા ની જેમ ટાઉનશીપમાં તેમનું ઘર તમામ સુવિધાઓથી સજ્જ છે અને ખાસ તો રીલાયન્સમાં આંબાવાડી આવેલ છે. હવે ટુંક સમયમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય બનશે.
સૌથી ખાસ વાત એ છે કે, રિલાયન્સ ટાઉનશિપમાં આવેલા TMC બંગલોઝની બાજુમાં અંબાણી પરિવારનું ભવ્ય નિવાસસ્થાન છે.આ નિવાસ સ્થાનમાં તેઓ અવારનવાર રહેવા માટે આવે છે.કોરોનાકાળમાં અંબાણી પરિવાર આ જ ઘરમાં રહેવા આવ્યા હતા તેમજ તેમના પૌત્ર પૃથ્વીનો જન્મદિવસ પણ તેમણે આ ઘરમાં જ ઉજવ્યો હતો. હવે સગાઈ બાદ તેમની પુત્રવધુ પણ આ ઘરમાં આવી છે.