7 વર્ષ પહેલા પ્રેમ થતા ગામ મુકી ભાગી ગયેલા વહુ અને સસરા એ ફરી ગામ મા આવી એવું પગલુ ભરી લીધુ કે જાણી ને આંચકો લાગશે….
આપણે જાણીએ છે કે, પ્રેમમાં પડ્યા પછી વ્યક્તિ ક્યારેય કોઈ જાતિ, જ્ઞાતિ કે રંગ રૂપ પણ નથી જોતો અને ઘણીવાર એ પણ જાણીએ છે કે લોકો પોતાના સંબંધો ભૂલીને પણ પ્રેમમાં પડી જતા હોય છે. હાલમાં જ એ એવો બનાવ સામે આવ્યો છે કે. આજથી 7 વર્ષ પહેલા પ્રેમ થતા ગામ મુકી ભાગી ગયેલા વહુ અને સસરા એ ફરી ગામ મા આવી એવું પગલુ ભરી લીધુ કે જાણી ને આંચકો લાગશે. આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ. .
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા કંબોઇ ગામમાં સસરા-અને પુત્રવધૂ પ્રેમમાં પડ્યા અને ત્યારબાદ સાથે રહેવા ભાગી ગયેલ પરંતુ આખરે સાત વર્ષ બાદ ગામમાં તો આવ્યા હતા પણઘરે જવા પગ નહીં ઉપડતાં જીવન ટૂંકાવી લીધું. આ બનાવ અંગે જાણીએ તો ગરબાડા તાલુકાના માતવા ગામના વનીતાના લગ્ન 2013માં લીમખેડા તાલુકાના કંબોઇ ગામના મીનેશ હઠીલા સાથે થયા હતાં.
વનીતાબેનના સુખી સંસારના પરિપાક રૂપે વસ્તારમાં બે બાળકો પણ હતાં. દરમિયાન વનીતાની આંખો પોતાના સગા સસરા રમેશ હઠીલા સાથે મળી ગઇ હતી. જેથી બંને ભાગી ગયા હતાં. સસરા અને પુત્રવધૂની ઉમર વચ્ચે 19 વર્ષનો તફાવત હતો. સાત વર્ષ બાદ બંને કંબોઇ તો આવ્યા હતા ગામના જંગલમાં એક જ દોરી ઉપર બે ફંદો લગાવી લીધો હતો.
વનીતાને પ્રથમ ખોળે પુત્રી રીન્કલનો જન્મ થયો હતો. ત્યાર બાદ તેમણે આકાશ નામક પુત્રને જન્મ આપ્યો હતો. આકાશ નવજાત હોવાથી બંને તેને સાથે લઇ ગયા હતા જ્યારે રિન્કલને ઘરે જ મુકી દીધી હતી. આકાશને ઘરનું સરનામું અને પિતાનું નામ બતાવીનેગામમાં રેઢો છોડી દીધો હતો. આકાશ તેના ઘરે પહોંચી જતાં પરિવારે બંનેની શોધખોળ પણ આદરી હતી.
સસરા-પૂત્રવધુમાંથી પતિ-પત્ની તરીકેનું જીવન જીવતાં મીનેશ અને વનિતાને તેમના સબંધને પરિવાર કે સમાજ ક્યારેય નહીં સ્વિકારે તેની ખબર હતાં. સાત વર્ષે હૃદય પરિવર્તન થતાં આકાશને પરિવાર પાસે પહોંચાડી દઇને બંનેએ એક સાથે આપઘાત કરવાનું પહેલેથી જ નક્કી કરી લીધાનું લાગી રહ્યુ છે.