સાળંગપુર ભીંતચિત્ર મામલે રોશે ભરાયને ભીંતચિત્રને તોડવાનો પ્રયાસ કરનાર હર્ષદ ગઢવી કોણ છે??અનેક આંદોલન તથા સેવાકીયર કાર્ય…
સાળંગપુર ધામના વિવાદનો તો અંત આવી ગયો પરંતુ આ વિવાદમાં હર્ષદ ગઢવીનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. ખરેખર આ બનાવ ખૂબ જ ચોંકાવનારો છે. હર્ષદ ગઢવી એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં મંદિર પરિસરમાં પહોંચીને ભીંતચિત્રો પર કાળી શાહી લગાવી અને તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચારો તરફ ચર્ચાઓ થઈ રહી છે કે આખરે આ હર્ષદ ગઢવી છે કોણ?
ચાલો અમે આપને વિગતવાર માહિતી આપીએ કે આખરે આ હર્ષદ ગઢવી કોણ છે? તમને જણાવી દઈએ કે હર્ષદ ગઢવી બોટાદ જિલ્લાના રાણપુરના ચારણકી ગામના છે.તેમના પિતા અને નાનો ભાઈ અમદાવાદ રહે છે. પિતા નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે, જ્યારે નાનો ભાઈ એક ખાનગી કંપનીમાં કામ કરે છે.
હર્ષદ ગઢવી ધાર્મિક અને સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલા છે. પોતાની સેવાકિય પ્રવૃતિઓ માટે તેમણે પોતાની વાડીમાં ગજાનંદ આશ્રમ બનાવ્યો છે તેમજ સાળંગપુર જતા પદયાત્રીઓ માટે સેવાકિય કાર્યો કરે છે. તેમજ અનેક આંદોલનમાં પણ પણ તેઓ કાર્યરત રહે છે, લોકોને ન્યાય અપાવવા માટે અને તેમજ તેઓ ગુજરાતી ફિલ્મ જગત સાથે જોડાયેલા છે અને પાંચ જેટલી ફિલ્મો બનાવી ચૂક્યા છે. હાલમાં તેઓ આ વિવાદને લઈને ચર્ચાનો વિષય બન્યા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.