ભીંતચિત્ત્રો હટાવીને વિવાદનો અંત આવતા હર્ષદ ગઢવીએ આપ્યું આ નિવેદન!! કહ્યું કે ” મને સંપ્રદાય સાથે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ સાળંગપુર ધામના વિવાદનો સુખ અંત આવ્યો અને વિવાદિત ચિત્રોને હટાવી લેવામાં આવ્યા. આ વિવાદમાં સૌથી વધુ જો કોઈ ચર્ચામાં આવ્યા હોય તો તે છે ભીંત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરનારા હર્ષદ ગઢવી.
આ વિવાદનો અંત આવતા તેમને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું. મારો વિરોધ હતો જે બાબતનો તેનો અંત આવ્યો છે અને હાલ સંપ્રદાયના ગ્રંથો સાહિત્ય અને પુસ્તકોમાં જ્યાં જ્યાં સનાતન ધર્મના ખોટા લખાણો આધાર વગરના કરવામાં આવ્યા છે તે અને સનાતન ધર્મના ભગવાનને ખોટી રીતે ચિતરવામાં આવ્યા છે તે દૂર કરવામાં આવે.
મને સંપ્રદાય સાથે કોઈપણ પ્રકારનો અને તેના સાધુ સંતો સાથે વાંધો નથી. વાંધો માત્ર એમની વિકૃત વિચારધારા સાથે હતો અને જેનો અંત આવ્યો છે. આવનારા દિવસોમાં પણ સનાતન ધર્મના લોકો અને સંપ્રદાયના લોકો એક થઈને રહેશે એ જ સાચો હિન્દુ ધર્મ છે સનાતન ધર્મ છે.
આપણે સૌ કોઇ જાણીએ છે કે, આ વિવાદનો અંત લાવવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ હર્ષ સંઘવી એ ખાસ બેઠક બોલાવીને આ વિવાદનો અંત લાવ્યા.હાલમાં પણ આ વિવાદને લઈને અનેક નવા વિવાદ પણ સામે આવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.