Big Breaking NEWS : પરોઢ સવારે સૌરાષ્ટ્રની ધરતી પર ભૂકંપ આવ્યો ! સવારે આ સમયે આટલી તીવ્રતાનો ભૂકંપનો અનુભવ…જાણો
મિત્રો ગુજરાત રાજ્યની અંદર છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ છેલ્લા એક બે દિવસોથી ફરી એક વખત રાજ્યમાં વરસાદનું આગમન થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે રાજ્યના હાલ અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ રહ્યો હતો જેના લીધે ખેડૂતોની ચિંતા માટે ઘટાડો થયો જ છે પરંતુ સાથે સાથે લોકોને પણ ભારે તાપ માંથી રાહત મળી ચુકી છે કારણ કે વરસાદને લીધે રાજ્યના વાતાવરણની અંદર ફરી એક વખત ઠંડક પ્રસરી ગઈ છે. એવામાં હાલ ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે જે સૌરાષ્ટ્રને લઈને છે.
તમને જાણતા નવાય લાગશે પરંતુ જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં આજ રોજ ભૂકંપનો આંચકો લાગ્યો હતો, સમાચાર અનુસાર જાણવા મળ્યું છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર સવારે 4.12 કલાકે 3.5ની તીવ્રતાનો આ ભૂકંપી આંચકો અનુભવવામાં આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ પાલીતાણાથી ફક્ત 29 કિમિ દૂર નોંધાયું હતું, એવામાં અનેક લોકોએ ભુકંપનો આ આંચકો અનુભવ્યો હશે જયારે અનેક લોકોએ નહીં અનુભવ્યો હોય.કારણ કે આટલી પરોઢ સવારે ભૂકંપ આવ્યો હતો.
આ ભૂકંપના આંચકાને લીધે કોઈ જાન હાનિ કે માલ હાનિ થયા અથવા તો કોઈના ઘર ધરાશાયી થયા તેવી કોઈપણ પ્રકારના હાલ સમાચાર સામે આવ્યા નથી આથી આપણે અંદાજો લગાવી શકીએ કે 3.5 ની તીવ્રતાનો ભૂકંપ થોડાક સમય માટે જ રહ્યો હશે, જે ખુબ સારી વાત કહી શકાય કારણ કે જો વધારે સમય માટે આવ્યો હોત તો તેના લીધે મોટું નુકશાન પણ થઇ શકે છે.
ગુજરાત રાજ્યની અંદર અનેક વખત મોટા મોટા ભૂકંપો આવેલા છે જેમાં જાનહાની તથા માનહાની થયા હોય છે પરંતુ આ ભૂકંપના આંચકામાં સદનસીબે કોઈ પ્રકારે આવી ઘટના બનવા પામી નથી તે સારી વાત કહેવાય. તમને જણાવી દઈએ કે જયારે પણ ભૂકંપના આવા આંચકા અનુભવાય છે ત્યારે ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપની તીવ્રતાની માપણી કરવામાં આવે છે, આ ટેસ્ટ સ્કેલની અંદર 1થી9 સુધીની તીવ્રતાના ભૂકંપની જ માપણી કરવામાં આવે છે.