ગુજરાતવાસીઓ રોગચાળાથી સાવધાન રેહજો ! સુરતમાં 32 વર્ષીય મહિલાનું મૌત થતા પરિવાર પર દુઃખનું આભ ફાટ્યું, ત્રણ દિવસ ઝાડા-ઉલ્ટી…
હાલ તો જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાંથી વરસાદે હવે વધામણા લીધા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે હવે વરસાદ રાજ્યમાં ઓછો થઇ ચુક્યો છે એવામાં વરસાદ જતા જ ગદંકીને લીધે રાજ્યમાં રોગચાળો ફેલાયો છે, વાત કરીએ તો હાલ રાજ્યભરના અનેક જિલ્લાઓમાં ડેન્ગ્યુની ભારે અસર થવા પામી છે આથી તમામ ગુજરાતના લોકોને આવા રોગોથી સાવચેત રેહવું, એવામાં સુરત શહેરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં રોગચાળાને લીધે મહિલાનું મૌત થયું છે.
શહેરમાં વરસાદ ગયા બાદ રોગચાળો વધ્યો હતો જેને લીધે શહેરની એક 32 વર્ષીય મહિલાને સામાન્ય ઝાડા ઉલ્ટી થયા બાદ તેને ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવી હતી જ્યા તબીબો દ્વારા તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હસતા ખેલતા પરિવાર પર જાને અચાનક જ દુઃખનું આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ બની હતી અને મહત્વની વાત તો એ કે એક દીકરો અને એક દીકરી માં વિહોણી બની હતી.
શહેરના વિજય નગર સોસાયટીની અંદરથી આ ઘટના બની હતી જ્યા 32 વર્ષીય કરીનેબન દિલીપભાઈ ઘોરીને છેલ્લા ત્રણ દિવસોથી ઝાડા ઉલ્ટી થવા લાગી હતી જેના લીધે તેઓને સૌપ્રથમ નજીકના દવાખાને બાદમાં ગઈકાલે ઝાડા ઉલ્ટી થઇ હતી જે બાદ તેઓને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા તબીબોએ કિરણબેનને મૃત ઘોષિત કરતા પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું હતું.
તમને જણાવી દઈએ કે કિરણબેન તેમના પતિ તથા બે સંતાનો સાથે રહેતા હતા,તેમના પતિ એમ્બ્રોડરીનું કામ કરીને ઘર ચલાવતા હતા જયારે કિરણબેન ગૃહિણી હતા.એવામાં અચાનક જ આવી રીતે મૃત્યુ થતા બે સંતાનોતો માતા વિહોણા બન્યા જ હતા જયારે એક પતિએ પોતાની જીવનસંગીની ગુમાવી દીધી હતી.