માયાભાઈ થી માંડી કીંજલ દવે સુધી ના ગુજરાતી કલાકારો પાસે આવી ભવ્ય કારો નુ કલેક્શન છે…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, બોલીવુડમાં અનેક કલાકારો હાઇફાઈ લાઈફ સ્ટાઈલ જીવે છે, ત્યારે ખરેખર એમનું જીવન જોઈને આપને પણ કહેવાનું મન થાય કે મારું જીવન પણ આવું જ હોત! આજે અમે આપને ગુજરાતી કલાકારો નાં જીવન વિશે જાણીશું. ખરેખર આ કોઈ સામાન્ય વાત ન કહેવાય! આજે અમે એવા કલાકારો ની વાત કરીશું જેમની પાસે કિંમતી કારો છે અને આ કલાકારો ગુજરાતીઓના હૈયામાં પણ એટલા જ લોકપ્રિય છે. ત્યારે ખરેખર આ તમામ કલાકારો વિશે જાણીશું જેમની પાસે સૌથી કિંમતી અને શાનદાર છે.
સૌથી પહેલા વાત કરીશું અલ્પા પટેલ વિશે જે ખૂબ જ લોકપ્રિય છે અને આજે તેમની પાસે ટોયોટો, ઈનોવા, ક્રિસ્ટલ કાર છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, અલ્પા પટેલ એ 10 વર્ષ ની ઉંમરે ગાવા ની શરૂવાત કરી હતી.અલ્પા પટેલ એ પહેલો પ્રોગ્રામ 50 રૂપિયા ની ફી થી કરનાર આ લોકલાડીલી ગાયિકા અલ્પા પટેલ પર આજે લખો રૂપિયા નો વરસાદ થાય છે.અલ્પા પટેલ ના સંતવાણી અને ડાયરા ના પ્રોગ્રામ ની ફી 1થી 1.25 લાખ રૂપિયા લે છે.
ફરીદા મીર : ફરીદા મીર મરસિડિસ જીએલએ કાર ફેરવે છે.ફરીદામીર કે જેને માત્ર 14 વર્ષની ઉંમરથી જ ભજનો ગાવાનું અને સ્ટેજ પરફોર્મન્સ આપવાનું શરૂ કર્યું હતું. ફરીદા મીર એક મુસ્લિમ પરિવારમાંથી છે અને તેમણે હિંદુ હિંદુ યુવક સાથે લગ્ન કર્યા છે. આજે ફરીદા મીરને ભજન ડાયરા કરવાના 2 લાખ 25 હજાર રૂપિયા મળે છે.ગીતાબેન રબારી : આજના સમયમાં સૌથી વધારે જો કોઈ કલાકાર લોકપ્રિય હોય તો ગીતા રબારી અને હાલમાં જ આલીશાન ઘર પણ ખરીધુ છે અને આજે ગીતાબેન રબારી ટોયોટો ઈનોવા કાર ફેરવે છે.ગીતા રબારી જે અનેક ગીતો ગાઈને ખુબ પ્રખ્યાત થઈ છે. ગીતા રબારીને કચ્છની કોયલ પણ કહેવામાં આવે છે. તે મૂળ કચ્છના છે. ગીતા રબારીને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.
કીર્તિદાન ગઢવી : ગુજરાતી લોક ડાયરાના કલાકાર કીર્તિદાન ગઢવી પાસે મરસીડીઝકાર છે.કિર્તીદાન ગઢવી જે પોતાના ડાયરા અને સંતવાણી જેવા પ્રોગ્રામ માટે વખણાય છે કિર્તીદાન ગઢવી એક પ્રોગ્રામ કરવાના 3 થી 4 લાખ રૂપિયા મળે છે. જેમાં તે માત્ર લગભગ 4 થી 5 કલાક જ ગાય છે.ખરેખર કીર્તિ દાન પાસે ખૂબ જ સંપત્તિ છે અને આજે વૈભવશાળી જીવન જીવે છે. ખરેખર આ તમે એમનું જીવન જોઈને આશ્ચર્ય થશે.
હેમંત ચૌહાણ : હેમંત ચૌહાણ પાસે હોન્ડા સિટી ટાવેરા ફ છે.જે તેના ભજનોના ઢાળ અને રાગો માટે ખુબ જ પ્રખ્યાત છે. ગામડે ગામડે ફરીને સંતો તેમજ ભજનીકો પાસેથી ભજનો અને શાસ્ત્રીય સંગીત શીખ્યું.પરંતુ આખરે તેમની મહેનત રંગ લાવી અને આજે તે ખુબ જ પ્રખ્યાત ભજનિક બની ગયા છે અને આજે તેમને ભજન સંતવાણી કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.
જીગ્નેશ કવિરાજ : જીગ્નેશ કવિરાજ ટોયોટો અને ફોઈર્ચ્યુનર છે.જેમણે માત્ર 13 વર્ષની ઉંમરે જ સંગીતનો સફર ચાલુ કર્યો હતો. તે ઉત્તર ગુજરાતના રહેવાસી છે અને તેવોએ લગ્ન ગીતોથી તેમની નામના બનાવી અને આજે એટલા છવાય ગયા છે કે બધી જ જગ્યાએ તેમના પ્રોગ્રામ થાય છે. સૌરાષ્ટ્રમાં તેમને પ્રસિદ્ધ કરવાનાર કોઈ હોય તો એ છે કિર્તીદાન ગઢવી. તેઓ ડાયરાઓ પણ કરે છે અને આજે તેમને એક ડાયરો કરવાના 70 હજાર રૂપિયા મળે છે.
કિંજલ દવે ગીતા રબારી બાદ સૌથી લોકપ્રિય સંગીતકાર છે. આજે તેની પાસે ટોયોટો, ઈનોવા, ક્રેસ્ટેલ, ફેરવે છે.કિંજલ દવેએ ચાર ચાર બંગળીના ગીત દ્વારા પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. જોકે કિંજલ દવેએ ચાર ચાર બંગડી વાળું ગીત કોપી કર્યું હતું અને તેના પર હમણાં સુધી કેસ પણ ચાલતો હતો. કિંજલ દવે એ કેસ કોર્ટમાં હારી ગયા છે. પરંતુ તેમના નામના એટલી વધી ગઈ કે તેમનો ચાર્જ પણ ખુબ જ વધી ગયો છે. પહેલા નાના મોટા કાર્યક્રમો કરતી કિંજલ દવેને એક પ્રોગ્રામ કરવાના 1 લાખ 50 હજાર રૂપિયા મળે છે.
માયાભાઈ આહીરનું જીવન ખૂબ જ સઘર્ષમય રહેલું છે અને આજના સમયમાં તેમની આપશે ખૂબ જ સંપત્તિ છે અને તેમની પાસે ટોયોટો, ફોર્ચ્યુનર અને એથી વધુ કિંમતી કાર છે અને તેમના દિકરા પાસે એનાથી વધુ છે. માયાભાઈ આહીર બધાના લોકપ્રિય સાહિત્યકાર છે. મિત્રો આજે લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર તરીકે પોતાનું આગવું સ્થાન ધરાવતા માયાભાઈ પહેલા ડ્રાઈવિંગ કરતા હતા અને ડાયરાના ખુબ જ શોખીન હતા. પરંતુ તેમણે તેમના આ શોખને અંજામ આપીને આજે ખુબ સારા લોકસાહિત્યકાર અને હાસ્યકાર પણ છે. 1 લાખ 75 હજાર રૂપિયા મળે છે.
રાજભા ગઢવી : રાજભા ગઢવી ટોયોટો અને ફોર્ચ્યુનર ફેરવે છે.આજના યુવાન અને સારા સાહિત્યકાર છે. મિત્રો પિતાના પ્રભાતિયા, અને રેડિયો પર ભજનો સાભળીને પ્રેરણા મેળવનાર એક માત્ર કલાકાર એટલે રાજભા ગઢવી છે. કહેવાય કે આ કળા તેમને વારસામાં જ મળેલી છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક સમયે રાજભા ગાયો ભેંસો ચરાવતા હતા. ભજન ડાયરો કરવાના 1 લાખ 30 હજાર રૂપિયા મળે છે.
ઉર્વશી રાદડિયા : ઉર્વશી રાદડિયા મારુતિ સિયાઝ કાર છે. એક કાર્યક્રમમાં 3.5 કરોડની રકમ ભેગી થઈ હતી.ઉર્વશી આજ સુધી ગૌશાળા માટે પોતાના કાર્યક્રમમાં કુલ 25 કરોડનું ફંડ ભેગુ કરી ચૂક્યા છે.ઉર્વશીને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળપણથી જ તેમને IAS અધિકારી બનવું હતું. પરંતુ પરિસ્થિતિને કારણે 12 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી. અને ઉર્વશીએ મ્યુઝિક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
ખજુર ભાઇ – પોતાનું જીવન તો હાલમાં લોકસેવક તરીકે વિતાવી રહ્યા છે.તેમને યુટ્યૂબર તરીકે પોતાની કારકિર્દીમાં શરૂ કરી હતી પરંતુ આજે કરોડો રૂપિયાની કમાણી કરે છે અને આજે તેમની પાસે આલીશાન ઘર છે અને તેઓ કરોડો રૂપિયાની કમાણી માત્ર વીડિયો દ્વારા કરે છે અને તેમની પાસે ફોર્ચ્યુનર કાર છે. તેમજ હાલમાં તેઓ ખૂબ જ વૈભવશાળી જીવન જીવે છે.