Gujarat

રાજકોટમાં અંધશ્રદ્ધાનો કાળજું કંપાવી દેતો કિસ્સો સામે આવ્યો, ભુવાના કહેવાથી માંએ નવજાત બાળક સાથે એવું કૃત્ય કર્યું કે…જાણો પૂરી વાત

હાલમાં જ અંધશ્રદ્ધાનો એક ચોંકાવનાર બનાવ સામે આવ્યો છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ઈટીવીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, રાજકોટના જેતપુર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારમાં બાળકનો જન્મ થયો હતો.બનાવ એવો બન્યો કે, બાળકનો જન્મ થયો ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

સૌથી ખાસ વાત એ કે, પ્રસૂતિ બાદ તેની માતાને ધાવણ આવ્યું નહોતું.આ કારણે માતાએ ભૂવાને ફોન કર્યો હતો. ત્યારબાદ ભૂવાએ ડામ આપવાનું કહેતા માતાએ બાળકને ડામ આપ્યા હતાં.

બાળકની તબિયત વધુ બગડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારદાખલ કરેલ પરંતુ આજ રોજ સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશનું વતની છે અને જેતપુર ખાતે રોજગારી માટે આવ્યું હતું.બાળકના પિતાએ કહ્યું કે, અમે ઘરે પૂજા કરો રહ્યાં હતાં અને તે દરમિયાન બાળક પર અગરબત્તી પડી ગઇ હતી. તેને શ્વાસની બીમારી હતી જેના કારણે તેનું મોત થયું છે.

આ બનાવના પગલે બાળકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જ સમગ્ર હકીકત સામે આવી શકે છે.ખરેખર આ બનાવ ખુબ જ ચોંકાવનાર છે, કારણ કે અનેકવાર એવા બનાવો પણ સામે આવ્યા છે કે અંધશ્રદ્ધાને નામે અનેક બાળકોનો ભોગ લેવાયો હોય આ બનાવ હાલમાં ખુબ જ ચર્ચામાં આવ્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!