બોલો જય દ્વારકાધીશ!! હજારો વર્ષો પેહલા ડૂબેલ સોનાની દ્વારકાના હવે થઈ શકશે દર્શન, સરકાર શરૂ કરશે સબમરીન સેવા…કેટલા લોકો કરી શકશે મુસાફરી
ગુજરાતના દ્વારકા શહેર એ ભગવાન શ્રીકૃષ્ણનું પૌરાણિક ધામ છે. આ શહેર તેની ધાર્મિક મહત્તા અને સુંદરતા માટે પ્રખ્યાત છે. દ્વારકામાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અને પ્રવાસીઓ આવે છે.
હવે દ્વારકા દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે એક ખુશ ખબર છે. ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષે દ્વારકા સમુદ્રમાં પેસેન્જર સબમરીન શરૂ કરવાની યોજના છે. આ સબમરીનથી પ્રવાસીઓ દ્વારકાની ડૂબેલ નગરીની મુલાકાત લઈ શકશે.
આ સબમરીનનું વજન લગભગ 35 ટન હશે અને તેમાં એકસાથે 30 લોકો બેસી શકશે. સબમરીનમાં બે હરોળમાં 24 મુસાફરો બેસશે. 2 ડાઈવર, 2 પાઇલટ,1 ગાઈડ અને 1 ટેકનિશિયન પણ હશે. દરેક સીટ પર વિન્ડો વ્યૂ હશે, જેથી પ્રવાસીઓ 300 ફૂટની ઉંડાઈએ સમુદ્રની કુદરતી સુંદરતાનો આનંદ માણી શકે.આ સબમરીન દ્વારા પ્રવાસીઓ દ્વારકાની ડૂબેલ નગરીની ભવ્યતા જોઈ શકશે. તેઓ સમુદ્રના છોડ અને પ્રાણીઓને પણ નિહાળી શકશે. આ સબમરીન દ્વારકાની પ્રવાસન ઉદ્યોગને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
સબમરીન સેવા શરૂ થતા દ્વારકાની ડૂબેલ નગરીની સુંદરતા વિશ્વભરના પ્રવાસીઓને જોવા મળશે , આ સેવા આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. આ મુદ્દે સત્તાવાર જાહેરાત આગામી વાઇબ્રન્ટ સમિટમાં કરવામાં આવશે. સૌથી ખાસ વાત એ કે, જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના કુળનો અંત થઇ ગયો, અને શ્રી કૃષ્ણ ભગવાન પણ માનવ દેહ છોડીને સ્વધામ પરત થયા ત્યારે સોનાની નગરી દ્વારકા પણ સમુદ્રમાં સમાઈ ગઈ હતી. આજે પણ દરિયાની અંદર દ્વારકાના અંશ જોવા મળે છે, જેથી પ્રવાસીઓ પણ આ દ્વારકા નગરી અને દરિયાઈ જીવ સૃષ્ટિને નિહાળી શકશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.