નીતા અંબાણીએ સૌને ભક્તિભાવમાં તરબોળ કર્યા! “વિશ્વંભરી માં ” ની સ્તુતિ કરીને કર્યો અદ્દભુત ડાન્સ, સાક્ષાત દેવીનો અવતાર લાગ્યા, જુઓ વિડીયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશનનો અંતિમ દિવસ ધાર્મિક ઉત્સાહ અને ભવ્યતાથી ભરપૂર હતો. આ દિવસની ખાસ વાત હતી નિતા અંબાણી દ્વારા “વિશ્વમભરી”ની સ્તુતિ પર કરેલ અદ્ભુત નૃત્ય પ્રદર્શન.ક્લાસિકલ નૃત્ય શૈલીમાં રજૂ કરાયેલ આ સ્તુતિ દ્વારા નિતાજીએ દર્શકોને ભક્તિમય વાતાવરણમાં લીન કરી દીધા. તેમના નૃત્યમાં દેવી માતા પ્રત્યેનો અત્યંત શ્રદ્ધા અને ભક્તિનો ભાવ સ્પષ્ટ રીતે દેખાતો હતો.
આ પહેલા પણ નીતાજીએ ઈશાના લગ્નમાં “શ્રીનાથજીના કીર્તન પર ” અને આકાશના લગ્નમાં “રઘુપતિ રાઘવ રાજા રામ ભજન” પર નૃત્ય પ્રસ્તુત કરી ચુક્યા છે. દરેક પ્રદર્શનમાં તેમની ભક્તિ અને કલા પ્રત્યેનો સમર્પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યો છે.અંતિમ દિવસનું સેલિબ્રેશન સનાતન ધર્મની થીમ પર આધારિત હતું. રિલાયન્સ ગ્રીન્સમાં બનાવેલ ચૌદ મંદિરના પરિસરમાં આ સમારંભ યોજાયો હતો. મહા આરતી બાદ અનેક ભવ્ય પ્રદર્શનો યોજાયા, જેમાં નીતાજીના નૃત્યએ ખાસ ધ્યાન આકર્ષ્યું.
નિતા અંબાણીનો આ પ્રદર્શન માત્ર એક નૃત્ય નહોતું પણ ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર સમન્વય હતો. તેમના દ્વારા રજૂ કરાયેલ “વિશ્વમભરી” સ્તુતિ દરેકના હૃદયમાં ભક્તિ અને શાંતિનો અનુભવ કરાવવામાં સફળ રહી.આ પ્રદર્શન ફરી એકવાર નીતાજીની કલાત્મક પ્રતિભા અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના તેમના પ્રેમનું પ્રતિબિંબ પાડે છે.
નીતા અંબાણીના જીવન વિષે ઘણા ઓછા લોકો જાણતા હશે કે, નીતા અંબાણી એ ક્લાસિકલ નૃત્યકાર છે, સૌ પ્રથમવાર જ્યારે ધીરુભાઈ અંબાણીએ નીતા દલાલને જાહેર કાર્યક્રમમાં ક્લાસિક નૃત્ય કરતા જોયા હતા, ત્યારે જ પહેલી નજરમાં જ નીતા દલાલને પોતાન પરિવાર માટે પુત્રવધુ તરીકે પસંદ કર્યા હતા. ખરેખર નીતા અંબાણી ખુબ જ ધાર્મિક છે, સનાતન ધર્મ પ્રત્યે અને આપણી સંસ્કૃતિ અને કલાનું તેઓ આદર સન્માન કરે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.