જામનગરમાં અંબાણી ફેમિલીએ યોજ્યું “રિલાયન્સ પરિવારનું” ભવ્ય ગેટ ટુ ગેઘર !! 25,000 કર્મચારીઓ પરિવાર સાથે રહ્યા હાજર.. જુઓ આ ખાસ તસ્વીર
અંબાણી પરિવારનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન 1 માર્ચ થી 3 માર્ચ સુધી યોજાયું હતું, આ ભવ્ય સેલિબ્રેશનમાં દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સહીત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સૌથી ખાસ વાત એ છે કે, 6 માર્ચના રોજ અંબાણી પરિવારે તેમાં કર્મચારીઓ અને તેમાં પરિવાર માટે ખાસ એક ફનકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરેખર આ વાત પરથી એ સાબિત થયું છે કે અંબાણી પરિવાર પોતાના કર્મચારીઓને પણ એટલું જ માન સન્માન આપે છે, જેવું પોતાના સ્વજનોને આપે છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુઅસાર રાધિકા અને અનંતના આગામી લગ્ન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે, અંબાણી પરિવારે જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે કર્મચારીઓ અને તેમના પરિવારોના અંદાજે 25,000 થી વધુ લોકો માટે ભવ્ય સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું, નીતા અને મુકેશ અંબાણી પછી અનંત અને રાધિકાએ વ્યક્તિગત રીતે સ્વાગત કર્યું અને લગ્ન પૂર્વેના ઉત્સવો દરમિયાન તેમના યોગદાન અને સહકાર માટે તેમજ જામનગરને રિલાયન્સ અને તેમની પોતાની વ્યક્તિગત મુસાફરીનો એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક ભાગ બનાવવા બદલ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો!
અને ઉજવણીની લાક્ષણિક રિલાયન્સ શૈલીમાં, પાર્ટીમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંઘ અને અરિજિત સિંઘના અદ્ભુત પર્ફોર્મન્સ દર્શાવતા મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રીતે સ્પેશિયલ ગેસ્ટ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે રિલાયન્સના કર્મચારીઓ માટે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, ખરેખર અંબાણી પરિવારએ સૌ કોઈનું દિલ જીતી લીધું. આ સેલિબ્રેશનમાં અંબાણી પરિવારના દરેક સભ્યોએ ખાસ સ્પીચ આપી હતી.
પ્રિ વેડિંગનો ખર્ચ ભલે 1000 કરોડ આંકવામાં આવેલ છે, પરંતુ આ પ્રિ વેડિંગ સેલિબ્રેશન 3 દિવસથી વધુ ચાલી રહ્યું છે. કર્મચારીઓ માટે રાખવામાં આવેલ સેલિબ્રેશનનું આમંત્રણ પાઠવતી વખતે પણ સૌ મહેમાનને ખાસ રીતે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું તેમજ સાથે મીઠાઈ, ચોકલેટ પણ મોકલાવવામાં આવી હતી, ખરેખર સૌ કોઈના મનમાં એ વિચાર જરૂરથી આવે કે જો પ્રિ વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્ન કેટલા ભવ્ય હશે?
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.