રિલાયન્સ પરિવાર માટે કરવામાં આવેલ “ગેટ ટુ ગેધર” માં મુકેશ અંબાણીએ કહેલી આ વાત દિલ જીતી લેશે!! અનંત અંબાણીએ પણ કહી આ ખાસ વાત.
રિલાયન્સ ગ્રીન્સમાં તા ૧ થી ૩ માર્ચ સુધી ભવ્ય અને શાનદાર પ્રિ વેડિંગ સેલિબ્રેશન રાખવામાં આવેલું અને ૬ માર્ચના રોજ અંબાણી પરિવારે પોતાની કંપનીના કર્મચારીઓ અને તેમના પરિવારના લોકો માટે ખાસ સેલિબ્રેશન રાખવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશન માં ૨૫૦૦૦ થી વધારે લોકો હાજર રહ્યા હતાં. ખરેખર આ સેલિબ્રેશન ખૂબ જ શાનદાર હતું કારણ કે અરજીત સિંહ સહિત સલમાન ખાન અને શાહરૂખ ખાને પણ પરફોર્મન્સ આપ્યું હતું.
આ ગેટ ટુ ગેધરમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ ખાસ વાત શેર કરી હતી, કે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ વિડીયો જ્યારે તમે જોશો ત્યારે તમે પણ તેમના વખાણ કરતા નહી થાકો કારણ કે, મુકેશ અંબાણી એ જે પણ વાત કરી છે, તે સૌ કોઇના દિલને સ્પર્શી જશે. ચાલો અમે આપને આ વીડિયોમાં જણાવેલ વાત વિશે ટુંકમાં જણાવીએ.
મુકેશ અંબાણી એ તેમના સૌ કર્મચારીઓને કહ્યું કે, બધાને હું નમનથી ખૂબ ખૂબ આભાર માનુ છું. તમે છો તો જામનગર છે. તમે છો તો રિલાયન્સની શાન છે. નેક્સ્ટ જનરેશન તમારી પાસેથી મોટીવેશનલ લે છે. મુકેશ અંબાણીના સંબોધન બાદ અનંત અંબાણી અને રાધિકા એ સાથે મળીને તેમના સૌ કર્મચારીઓ માટે ખાસ વાત શેર કરી હતી કે સૌને ખૂબ જ પસંદ આવેલ.
અનંત અંબાણીએ કહ્યું હતું કે, જય શ્રી રામ! યે તો મેરા પૂરા પરિવાર હૈ. જન્નત તો મેને દેખા નહી ઔર કિસીને ભી નહીં દેખા હોંગા. બટ મેરે લિયે જામનગર જન્નત હૈ. આપ સભીને ઈશે જન્નત બનાયા હૈ, મે આપ સભી કા ધન્યવાદ માનતા હું. રાધિકા મર્ચન્ટે પણ કહ્યું કે, તમને બધાને મારા બઉ બઉ જય શ્રી ક્રિષ્ન અને ધન્યવાદ. ખરેખર અંબાણી પરિવાર પોતાના કર્મચારીઓ ને પણ પોતાના પરિવારના સભ્યો જ ગણે છે.