Viral video

મોરના ઈંડા ચીતરવા ન પડે!! કિર્તીદાન ગઢવીના દીકરા રાગે ગાયું “રસિયો રૂપાળો રંગ રેલીયો ” તો માયાભાઇ પણ તાળી પાડવા લાગ્યા.. જુઓ વિડીયો

જુનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાયો હતો ,તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના લોકપ્રિય કીર્તીદાન ગઢવીએ પણ મહાશિવરાત્રિ મેળામાં શિવોત્સવનું આયોજન કરેલું છે, આયોજન થકી સતત ચાર દિવસ સુધી, ભાવિ ભક્તો માટે ભજન, ભોજન અને ભક્તિની સરવાણી વહે છે. ગયા વર્ષે કીર્તીદાન ગઢવીએ આ ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું અને આ વર્ષે પણ ખૂબ જ સુદંર આયોજન કરવામાં આવ્યું છે.

આ શિવોત્સવમાં ભજન અને ભોજન અને ભક્તોનો અનેરો સંગમ રચવામાં આવ્યો હતો. લોક ડાયરામાં અનેક ખ્યાતનામ કલાકારોએ પણ શિવની ભક્તિમાં સૌને લિન કર્યા હતા. હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવીના દીકરાએ લોક ડાયરામાં સાધુ સંતો અને લોકપ્રિય કલાકારો તેમજ લાખોની સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની સામે ” રસિયો રૂપાળો રંગ રેલીયો ભજન ગાયું હતું. ”

તમને જણાવી દઈએ કે, કિર્તીદાન ગઢવીનો નાનો દીકરો સોશિયલ મીડિયા પર ખુબ જ લાઇમ લાઈટમાં રહે છે, ખાસ કરીને તેની ક્યુટનેસ સૌ કોઈને પસંદ આવે છે. કિર્તીદાન ગઢવી એ પોતાના દીકરાનું નામ રાગ રાખ્યું છે. જેવું નામ એવા જ રાગમાં ગુણ છે, કિર્તીદાન ગઢવીની જેમ રાગ પણ અનેક પોતાના પીતાંની નકલ કરતો હોય તેવા વિડીયો સામે આવ્યા છે, હાલમાં મહાશિવરાત્રી મેળામાં રસિયો રૂપાળો રંગ રેલીયો ગાઈને માયાભાઈ આહિરને પણ તાળીઓના તાલ સાથે ઝૂમતા કરી દિશા હતા. આ વિડીયો સૌ કોઈના દિલને સ્પર્શ કરી ગયો છે.

ખરેખર આ વિડીયો જોઈને તમે પણ કિર્તીદાન ગઢવી અને તેમના દીકરા રાગના વખાણ કરશો કારણ કે, બાપ દીકરાની જુગલબંઘી ખરેખર મનમાં વસી જાય એવી છે, તેમજ સૌથી ખાસ વાત એ કે કિર્તીદાન ગઢવી એ પોતાના દીકરાઓમાં નાનપણથી જ ભક્તિ, ભજન અને સેવાના ગુણો સીંચી રહ્યા છે, કહેવાય છે ને કે બાળકોના બાળપણથી જ સંસ્કારોનું સિંચન જરૂરી છે, આ કાર્ય કિર્તીદાન ગઢવી કરી પણ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!