India

નીતા અને મુકેશ અંબાણીના લગ્નના જીવન 39 વર્ષ થયા પૂર્ણ, ગોલ્ડકેક કટિંગ કરીને કર્યું ખાસ સેલિબ્રેશન, જુઓ આ ગોલ્ડ કેસની ખાસ તસવીરો

નીતા અંબાણીએ મુકેશ અંબાણી સાથે જ્યારથી લગ્ન કર્યા છે, ત્યારથી ડગલેને પગલે તેઓ તેમના સફળતાના સાથે રહ્યા છે. હાલમાં જ તેમને પોતાના લગ્ન જીવનની વર્ષગાંઠ ઉજવી, આ સેલિબ્રેશનની કેક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. વાત જાણે એમ છે કે, તા 8 માર્ચ, 2024 ના રોજ, નીતા અને મુકેશ અંબાણીએ તેમના લગ્નની 39મી વર્ષગાંઠની ઉજવણી કરી. તાજેતરમાં, અમને કપલની ભવ્ય એનિવર્સરી કેકની ઝલક મળી. તેના ઇન્સ્ટા હેન્ડલ પર લઈ જઈને, પેસ્ટ્રી શોપે પેસ્ટલ અને સોનેરી રંગોમાં ખૂબસૂરત રીતે ડિઝાઇન કરેલી 6-ટાયર કેકની ઝલક શેર કરી અને તે એકદમ રોયલ હતી.

ગોલ્ડન કેકનીઆ તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, ખરેખર આ તસવીરો જોઈને એ ચોક્કસપણે સમજાય છે કે, અંબાણી પરિવાર એનવર્સરીની વર્ષગાંઠ ભવ્ય રીતે સેલિબ્રેટ કરી હશે. મુકેશ અને નીતા અંબાણીની વર્ષ ગાંઠ પર તેમના લગ્ન જીવનની એક ખાસ વાત જણાવીએ. એકવાર નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તે મુકેશ અંબાણીને કેવી રીતે મળી.” નોંધનીય છે કે તે દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “મને મારા સસરા ધીરુભાઈ અંબાણી અને સાસુ કોકિલા બેન એક ડાન્સ ફંક્શનમાં જોવા મળી હતી.

તેમને મારો ડાન્સ ખૂબ પસંદ આવ્યો હતો.”આટલું જ નહીં, નીતા અંબાણીએ આગળ કહ્યું કે તે કાર્યક્રમ પછી તેણે મારા પિતા સાથે પણ વાત કરી અને તે મારા પરિવારના સભ્યો માટે ચોંકાવનારું હતું. સ્વાભાવિક છે કે જ્યારે દેશના આટલા મોટા ઉદ્યોગપતિ મારા ઘરે ફોન કરીને મોટા પુત્ર માટે મારો હાથ માંગે ત્યારે પહેલીવાર આશ્ચર્ય થાય, પરંતુ આ દરમિયાન આગળ નીતા કહે છે કે આ મારા માટે ખુશીની વાત છે.

ધીરૂભાઇએ નીતાને ફોન કર્યો ત્યારે ધીરૂભાઇએ કહ્યું કે “હું ધીરુભાઇ બોલું છું.” ત્યારે ગુસ્સામાં રહેલી નીતાએ કહ્યું “હું એલિઝાબેથ ટેલર બોલું છું.” આટલું બોલીને નીતાએ ફરીવાર ફોન કાપી નાખ્યો હતો. જ્યારે ફોન આવ્યો ત્યારે નીતાએ તેના પિતા રવીન્દ્રભાઇ દલાલને કહ્યું કે કોઇ આ રીતે ધીરુભાઈ અંબાણીનું નામ લઇને ફોન કરી રહ્યું છે. તમે હવે ફોન ઉઠાવો. રવીન્દ્રભાઇએ જ્યારે ફોન ઉઠાવ્યો અને તેમને હકીકતની જાણ થઇ કે તે ફોન ખરેખર ધીરુભાઈ અંબાણીનો જ હતો ત્યારે તેમને નીતાને સમજાવી અને કહ્યું કે આ રિલાયન્સના માલિક ધીરુભાઈ અંબાણીનો જ ફોન છે.

નિતાના લગ્ન વિશે ટેન્શન એ હતું કે લગ્ન પછી મારે નોકરી ન ગુમાવવી જોઈએ. તે જ સમયે, ખબર છે કે આવી સ્થિતિમાં નીતા અંબાણીએ ધીરુભાઈ અને કોકિલાબેન સામે મુકેશ અંબાણીની સાથે લગ્ન કરવાની શરત મૂકી હતી. વાસ્તવમાં, નીતા અંબાણી એક શાળામાં શિક્ષિકા હતી અને તેને શાળામાં ભણાવવા માટે દર મહિને 800 રૂપિયા મળતા હતા, સાથે જ નીતા અંબાણીને પણ ડાન્સમાં ખૂબ જ રસ હતો અને તે ભરતનાટ્યમમાં પણ નિપુણ હતી. આવી સ્થિતિમાં નીતા અંબાણીએ સાસરિયાં સામે એક શરત મૂકી કે જો તેમને આ કામ કરવા દેવામાં આવશે. પછી તે લગ્ન કરશે. જાણવા મળે છે કે જે બાદ મુકેશ અને તેનો પરિવાર આ શરત માટે રાજી થઈ ગયા હતા અને આજે નીતા અને મુકેશ અંબાણી પોતાનું સુખી દામ્પત્યજીવન જીવી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!