ગુજરાતના લોકપ્રિય ગાયિકા પહોંચ્યા અયોધ્યા! શ્રી રામલલ્લાના દર્શન કરીને ભજન સંધ્યામાં રમઝટ બોલાવી, જુઓ ખાસ તસવીરો આવી સામે…
ભારત દેશનું આસ્થાનું કેન્દ્ર એટલે રામજન્મભૂમિ અયોધ્યા નગરી. રામ લલ્લા જ્યારથી અયોધ્યામાં નગરીમાં બિરાજમાન થયા છે, ત્યારથી સૌ ભાવિ ભક્તો તેમના દિવ્ય દર્શનની ઝાંખી પણ કરી રહ્યા છે. રામજન્મભૂમિ મંદિર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, હાલમાં જ અયોધ્યા ખાતે અતિ ભવ્ય અને દિવ્ય રામોતસ્વનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમમાં આપણા ગુજરાતી લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીને ખાસ આમંત્રણ હતું, જેમણે પોતાના સુરીલા અંદાજમાં સૌ ભાવિ ભક્તોને શ્રી રામ ભક્તિમાં લીન કર્યા હતા. અયોધ્યા ખાતે પોતાનો કાર્યક્રમ થતાં ગીતાબેન રબારીએ હર્ષની અને દિવ્યતાની લાગણી અનુભવતા સોશિયલ મીડિયામાં ખાસ વાત કહી હતી.
ગીતાબેન રબારીએ કહ્યું હતું કે, आज की भक्ति संध्या श्री अयोध्या धाम में भगवान श्री राम जी के चरनो में… में अपने आप को बहुत ही सौभाग्यशाली मानती ही की भगवान श्री राम की जन्म भूमि अयोध्या में श्री रामोत्सव में मुझे आमंत्रित किया हे।… आप सब पधारिएगा ज़रूरઆપ સૌને જાણીને આનંદ અને ગર્વ થશે કે અયોધ્યા ધામ ખાતે અતિ ભવ્ય અને દિવ્ય સંધ્યા રાત્રિમાં ગીતાબેન રબારીએ સૌને શ્રી રામ ભક્તિમાં લીન કર્યા હતા.
સૌથી ખાસ વાત એ છે કે, અયોધ્યા ખાતે આયોજિત ભજન સંધ્યા પૂર્વે ગીતાબેન રબારીએ એ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે અયોધ્યામાં આવેલ શ્રી રામ મંદિર ખાતે શ્રી રામજીના દિવ્ય દર્શન કર્યા હતા. આ ખાસ તસવીરો તેમને સોશિયલ મીડિયામાં શેર કરીને ધન્યતા અનુભવી છે, ખરેખર આપણા સૌ ગુજરાતીઓને ગર્વની લાગણી અનુભવી જોઈએ કે, અયોધ્યામાં પણ ગુજરાતી ગાયિકા ગીતાબેન રબારીના ભજન અને ગીતોના સૌ દીવાના છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.