ભરુચની કંપનીમાં યુવકે ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું, આત્મા હત્યા પહેલા લખી સૂસાઇડ નોટ…જાણો પૂરી ઘટના
દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો બને છે, ત્યારે હાલમાં જ વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. ગુજરાત ટેકના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ માહિતી પ્રમાણે અમે આપને ભરૂચની જીઆઇડીસીમાં આત્મહત્ય કરનાર યુવકની દુઃખદ ઘટના વિષે જણાવીશું. વિગતવાર માહિતી જાણીએ તો બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ કંપનીમાં જ ગળોફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું અને આત્મ હત્યા કરતા પહેલા ત્રણ પેજની સુસાસાઈડ નોટ લખી છે અને પોતાના મોટ માટે કંપનીના એક અધિકારીને જવાબદાર ગણાવ્યો છે.
મૃતક વ્યક્તિનું નામ રાજેશ ગોહિલે છે અને આત્મહત્યા માટે મનજીતસિંહ નામના અધિકારી ગંભીર આક્ષેપો કર્યા છે. સુસાઇડ નોટમાં લખેલ માહિતી અનુસાર સંક્ષિપ્તમાં જણાવીએ મનજીત સરે મને મેન્ટલી ટોર્ચર કરી નાખ્યો છે. તેઓ દરરોજ મારી સાથે ખોટી-ખોટી બાબતે લડાઈ ઝઘડા કરે છે. 4 કર્મચારી જેટલું કામ હું એકલો જ કરું છું છતાં મને મનજીત સર મને મેન્ટલી ટોર્ચરિંગ કરે છે. મને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપે છે.
સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું છે કે, હેલ્પરનો કોઈ એક્સિડન્ટ થાય એની જવાબદારી મારી એટલે કે રાજેશ ગોહિલની રહેશે એવું મનજીત સર મને કહે છે અને મારી પાસે સેફ્ટી બાયપાસ કરાવી કરાવીને કામ કરાવે છે. જો હું ન કરું તો મને હેરાન કરે છે. મને પ્લાન્ટમાં પરેશાન કરે છે. મને HODની ધમકી આપે છે અને તને કઢાવી નાખી એવું કહે છે.
અંતમાં લખ્યું હતું કે, મનજીત સર સામે એક્શન જરૂર લેજો. નહીં તો મારી જેમ ટોર્ચરિંગથી કંટાળીને કોઈ ખોટું પગલું ભરે નહીં અને પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે.આ દુઃખદ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે તેમજ પોલીસે પણ સુસાસઈડ ને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી હાથધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.