India

આ છે ભારતનું અનોખું ગામડું! વર્ષમાં એકવાર ગામ આખું બની જાય છે સુમસાન, ગામના લોકો ઘર મૂકી જવું પડે છે, જાણો કારણ,….

આપણા ભારતમાં અજબ-ગજબ ગામડાઓ આવેલા છે, આજે અમે આપને એક એવા ગામ વિષે જણાવીશું, કે જ્યાં એક ખુબ જ અનોખી પરંપરા મનાવવામાં આવે છે. આ ગામ આવેલું છે બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગહામાં અને આ ગામનું નામ નૌરંગિયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ગામમાં વર્ષમાં એકવાર આખો દિવસ લોકડાઉન લાગે છે.

સૌથી ખાસ વાત એ છે કે, ગામના તમામ લોકો 12 કલાક માટે જંગલમાં જાય છે અને આ ગામ આખું ઉજળ થઇ જાય છે, ગામના એક પણ ખોરડાંમાંતમને કોઈ માણસ જોવા નહિ મળે. લોક વાયકા પ્રમાણે કહેવામાં આવે છે કે ખૂબ પહેલા નૌરંગિયા ગામમાં મોટા ભાગે પ્રાકૃતિક આપત્તિઓ અને બીમારીઓ આવતી હતી.હૈજા અને ચેચક જેવી બીમારીઓ પણ ફેલાઈ જતી હતી. ઘણી વખત ગામમાં આગ પણ લાગી ચૂકી છે.

સંકટ સમયે ભગવાન ભેળા જ રહે છે, એ જ રીતે આ ગામમાં પણ વિકટ પરિસ્થિતિઓમાંથી ઉગારવા માટે ગામના સંત બાબા પરમહંસને સપનામાં દેવી મા દુર્ગા નજરે પડ્યા. દેવી મા દુર્ગાએ તેમને કહ્યું કે, આખા ગામને પોતાની સાથે જંગલમાં લઈ જાવ, ત્યારથી દર વર્ષે આ પરંપરા નિભાવવામાં આવે છે.

નૌરંગિયા ગામના લોકો વૈશાખની નવમીના દિવસે સવારે પોતાના ઘરોથી નીકળીને વાલ્મીકિ ટાઈગર રિઝર્વના ભજની કુટ્ટીના જંગલમાં જતા રહે છે. આ દરમિયાન ઘરોમાં તાળાં પણ લાગતા નથી. જંગલમાં ગ્રામજનો મા દુર્ગાની પૂજા કરે છે.

ગ્રામજનો માને છે કે ગામમાં ખુલ્લુ ઘર છોડીને ગયા બાદ મા ગામમાં આવીને ફરે છે. ત્યારબાદ સાંજે સૂરજ ઢળી ગયા બાદ ગ્રામજનો પાછા ગામમાં જતા રહે છે. ગામમાં આવ્યા બાદ મંદિરથી જળ લાવીને ઘરો પર છંટકાવ કરે છે. પછી બધા લોકો પોતાના રોજિંદા કામોમાં લાગી જાય છે. લોકોએ જણાવ્યું કે, ગામના બધા લોકો, પછી તેઓ યુવા હોય કે વૃદ્ધ, આ પરંપરાનું પાલન કરે છે. સૌથી ખાસ વાત એ છે કે. ગામના લોકો બીમાર હોય છે, તેમને પણ જંગલમાં લઈ જવામાં આવે છે. યુવા પેઢી પણ ગામની આ પરંપરાને નિભાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!