શ્રી રમજુબાપુ એ કરેલ ભવિષ્યવાણી સાચી પડી! T20 વર્લ્ડ કપના ફાઈનલ મેચ દરમિયાન કરી હતી આ ભવિષ્યવાણી….જાણો શું કહ્યું હતું બાપુએ, જુઓ વિડિયો
શનિવારનો દિવસ ભારતના લોકો માટે ઐતિહાસિક બન્યો કારણ કે 17 વર્ષ પછી ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો. આ ક્ષણ દરેક ભારતીય ક્રિકેટપ્રેમીના હૃદયમાં વસી ગઈ હતી, તે ક્ષણ આખરે આવી ગઈ! ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે અને T-20 વર્લ્ડ કપની ટાઈટલ ટ્રોફી જીતી છે. બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર રમાયેલી રોમાંચક ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું અને 2007 પછી બીજી વખત T-20 વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
ટીમ ઈન્ડિયાની આ શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે. ‘ઈન્ડિયા, ઈન્ડિયા’ના નારા ગુંજી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ અભિનંદન સંદેશાઓનું પૂર આવ્યું છે.
કેપ્ટન રોહિત શર્મા અને તેની ટીમ માટે આ જીત ઘણી ખાસ છે. આ જીતની સાથે જ રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં પોતાની કપ્તાનીમાં પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો છે. સાથે જ વિરાટ કોહલી માટે પણ આ જીત ઘણી મહત્વની છે. ટીમ ઈન્ડિયાની જીતમાં ઘણા ખેલાડીઓએ મહત્વનું યોગદાન આપ્યું હતું.
આ જીત એ તમામ ભારતીય ક્રિકેટ પ્રેમીઓ માટે પણ ખાસ છે જેઓ છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાને ફરી એકવાર T20 વર્લ્ડ ચેમ્પિયન બનતા જોવા માંગતા હતા. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ જીત ચોક્કસપણે સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં જોઇ શકશો કે, શ્રી શ્રી 10008 રમજુબાપુ એ વર્લ્ડ કપ મેચ દરમિયાન જ બાપુએ ભવિષ્યવાણી કરી હતી અને અંતે એ વાત સાચી પડી ખરેખર આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, બાપુ એ કહ્યું હતું કે, આફ્રિકાથી રન નઈ થાય. આ વાત સાચી પડી આખરે ભારત સાત રનથી જીત ગ્યું અને વર્લ્ડ કપ પોતાના નામે કર્યો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.