Gujarat

સુરતના 25 વર્ષીય CA યુવકે સંસારનો ત્યાગ કરીને દીક્ષાનો માર્ગ અપનાવ્યો!! એકદમ ધૂમ ધામથી નીકળી શોભાયાત્રા… જુઓ તસ્વીર

સુરત શહેરમાં દર વર્ષે અનેક લોકો જૈન દીક્ષા ગ્રહણ કરે છે. વૈભવશાળી જીવનને ત્યાગીને સંયમી જીવન પસંદ કરે છે. આ જગતના બધા સુખોને પ્રભુના સમર્પિત સુખને પ્રાપ્ત કરે છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ સુરતના 12 મુમુક્ષુ દીક્ષા લેવા જઈ રહ્યા છે, ત્યારે આ 12 દીક્ષાર્થીઓમાં દેવશ રાતડીયાનામનો યુવક ખુબ જ ચર્ચામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, દેવેશ મૂળ મૂળ બનાસકાંઠાનો રહેવાસી છે, હાલમાં સુરત શહેરમાં રહે છે. દેવેશ વિષે અમે આપને ટૂંકમાં માહિતી જણાવીએ


દેવેશ કોણ છે? : દેવેશ મૂળ બનાસકાંઠાનો અને હાલમાં સુરત રહે છે, દેવેશ CA ઇન્ટરમીડિયેટ અને ગાયક-સંગીતકાર છે. દેવેશના પરિવારમાં માતા-પિતા, એક બહેન, કાકા-કાકી અને તેના બે ભાઈઓ છે. તમામ સબંધો અને સુખ, સંપત્તિનો ત્યાગકરી ને દીક્ષાનો માર્ગ સ્વીકાર કર્યો છે અને સૌથી ખાસ વાત એ છે, દેવેશના પિતા નંદિષેણભાઇ અને કાકા રવિન્દ્રભાઇની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસીની ફર્મ છે, જેથી તેમનું જીવન અત્યંત વૈભવશાળી હતું અને દેવેશ પાસે સવા લાખ રૂપિયાનો મોબાઈલ ફોન અને મોંઘી એસયુવી પણ હતી અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ તેને મળી છે અને એક સંગીતકાર તરીકે 100થી સવાસો જેટલા સંગીતના કાર્યક્રમો કર્યા છે.

દીક્ષાનો વિચાર કઈ રીતે આવ્યો? દેવેશના ઘરમાં પહેલેથી જ ભક્તિનો માહોલ હતો તેમજ તે હોશિયાર હોવા છતાં પણ તેને અભ્યાસમાં મન ન લાગતું. 12 કોર્મસ બાદ B.Comના બે વર્ષ કર્યા હતા. આ સાથે તે સીએની પણ પ્રેક્ટિસ કરતો હતો. અભ્યાસથી વધુ ધાર્મિક પ્રવચનો અને ધર્મગુરુઓના કાર્યક્રમો વધુ આકર્ષિત કરતા હતા. સાત વર્ષ સંગીતનો અભ્યાસ કર્યો હતો. આ સંગીતની અંતિમ વિશારદની પરીક્ષા આપ્યા વગર સંગીત પણ છોડી દીધું હતું.

જીવનમાં તમામ પ્રકારનું સુખ હોવા છતાં પાંચવર્ષથી સંયમ માર્ગ પર જવાનો વિચાર હતો. જેથી તે નિયમિત યોગતિલકસૂરીશ્વરજી મહારાજના પ્રવચન સાંભળ્યા કરતો હતો. જેનાથકી મને સંયમના માર્ગ તરફ આગળ વધવાની પ્રેરણા મળી હતી અને છ મહિના સુધી સેવા કર્યા બાદ અને તમામ નીતિ નિયમોનું પાલન કર્યું તેમજ 600 કિલોમીટરનો આકરો પદવિહાર સહિતની અનેક કસોટી કરી હતી અને અંતે આખરે મન સંન્યાસ તરફ આગળ વધ્યું.

દેવેશની દીક્ષા પ્રસંગના ભાગરૂપે સુરત શહેરમાં હાથીની આંબાડી પર વર્ષીદાન યાત્રાનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, આ ભવ્ય શોભાયાત્રામાં ઊંટગાડી, બળદગાડી અને ઘોડેસવારી સાથે વરઘોડોની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી અને સુરત શહેર બેન્ડ વાજા તેમજ નાસિક ઢોલ અને ઘંટારવથી ગુંજી ઉઠ્યું હતું અને આ સંયમમાર્ગની યાત્રા અનેક લોકો માટે પ્રેરણાદાયી બની. દેવેશ જૈન ધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં આગામી 18થી 22 એપ્રિલ દરમિયાન ભવ્યાતીભવ્ય દીક્ષા સમારોહ સંયમી જીવન ધારણ કરશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!