ગુજરાતી સંગીત જગત ને પડી મોટી ખોટ ! યુવા સંગીતકાર નું અચાનક થયું આવસાન
ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને સફળ સંગીતકાર શ્રી મયુર નાડીયાનું ભર યુવાનીમાં દુઃખદ અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને તેમના ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના નિધનની ખબર મળતાની સાથે જ અનેક ગુજરાતી કલાકારો તેમજ મહાનુભાવોએ ગાયક કલાકારને શ્રદ્ધાજંલી પાઠવીને શોક વ્યક્ત કર્યો છે.
મયુર નાડીયાએ અનેક લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાં પોતાના સંગીતથી એક આગવું સ્થાન બનાવ્યું હતું. તેમના સંગીતમાં રહેલી ગુજરાતની સંસ્કૃતિ અને લોકપરંપરાની મીઠાશ હંમેશાં લોકોના હૃદયને સ્પર્શી જતી હતી. તેમની રચનાઓએ અનેક ફિલ્મોની સફળતામાં મહત્વનો ફાળો આપ્યો હતો, તેમનો જીવ ચાલ્યો ગયો છે પણ તેમના ગીતો દ્વારા તે લોકોના હ્નદયમાં કાયમ જીવંત રહેશે.
તેમનું આ રીતે અચાનક વિદાય લેવું એ ગુજરાતી ફિલ્મ સંગીત માટે એક મોટી ખોટ છે. તેમની સર્જનાત્મકતા અને સંગીત પ્રત્યેનો લગાવ હંમેશાં યાદ રહેશે.અમે તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. ઈશ્વર તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી અમારી પ્રાર્થના છે.