શૂન્યમાંથી સર્જન કરનાર કિર્તીદાન ગઢવીનું એક નવું સાહસ! ગાયિકીક્ષેત્રે બાદ હવે મીડિયાક્ષેત્રમાં શરૂ કરી પોતાની ચેનલ, જુઓ આ ખાસ તસવીરો
જરાતના લોકપ્રિય કિર્તીદાન ગઢવી વધુ એક સફળતાના શિખર પર પહોંચવાની તૈયારી પર છે. કહેવાય છે ને સફળતાનો કોઈ અંત નથી હોતો જીવનમાં તમારી પાસે અનેક માર્ગો હોય છે, જ્યાં તમે સફળતા સાથે સિદ્ધિ મેળવી શકો છો. હાલમાં જ જાણવા મળ્યું છે કે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીએ એક નવું સાહસ ખેડ્યું છે. શુન્ય માંથી સર્જન કરી ચૂકેલા કિર્તીદાન ગઢવી વધુ એક સિદ્ધિ તરફ આગળ જઈ રહ્યા છે.
વાત જાણે એમ છે કે, ગુજરાતના લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવી હવે મીડિયા ક્ષેત્ર પ્રવેશ કર્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, કિર્તીદાન ગઢવી અને મુન્ના પી.ગઢવી એમ બંને ભાગીદારો દ્વારા પ્રભુદાન ન્યુઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ટીવી 13 હકથી ગુજરાતી ન્યુઝ ચેનલ શરૂ થવા જઈ રહી છે.
ગઈકાલ એટલે કે 20 ઓકટોબરના રોજ અમદાવાદના હોટલ હિલ્લોકમા ખાતે ટીવી ચેનલનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને આ શુભ પ્રસંગેબાબા બાગેશ્વર પૂ.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નવા સોપાનનું લોકાપર્ણ કરવામાં આવ્યું.
.સૌથી ખાસ વાત એ છે કે, ગુજરાતમાં અનેક શહેરોમાં લાઈવ વ્યુ કીટ, જર્નલિસ્ટની ટીમ સાથે નવી ચેનલ શરૂ થશે ટીવી 13 ચેનલની ઓફીસ અમદાવાદમાં એસ.જી બિઝનેસ હબ બિલ્ડિંગ, ગોતા ફ્લાય ઓવર, એસ જી હાઈ વે ખાતે આવેલ છે. આપણે જાણીએ છે કે કિર્તીદાન ગઢવી એ સામાન્ય ગાયક કલાકારમાંથી આજે દેશ વિદેશમાં જાણીતા લોક ગાયક કલાકાર તરીકે નામના મેળવી છે, ત્યારે તેમનું આ નવું સાહસ તેમને વધુ એક સિદ્ધિ અપવાશે. હાલમાં તમે આ લોકાપર્ણની તસવીરો જોઈ શકો છો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.