બૉલીવુડ જગતમાં ફરી એક વખત છવાયો સન્નાટો!! આ દિગ્ગજનું 84 ઉંમરે નિધન થયું, શોલેમા કામ કર્યું હતું…
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં અનેક મોટા મોટા કલાકારોના દુઃખદ નિધન થયા છે, અનેક ગાયકો ત્થા દિગ્ગજ કલાકારો હાલ હવે આ દુનિયાની અંદર નથી રહ્યા. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈને વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કારણ કે હાલ બૉલીવુડ અભિનેતા તથા કોમેડીયન એક્ટર એવા સતીન્દર કુમાર ખોસલાની નિધનની ખબર હાલ સામે એવી છે જેને લઈને હાલ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર શોકનું મોજું ફરી વળ્યું હતું.
તમને જણાવી દઈએ કે કોમેડીયન દિગ્ગજ અભિનેતા એવા સતીન્દર કુમાર ખોસલા 12 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા સાત વાગ્યે નિધનની ખબર સામે આવી હતી, આ અભિનેતાનું 84 વર્ષની વયે નિધન થતા બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તો ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે આ અંગે અનેક કલાકારોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. દિગ્ગજ અભિનેતાએ મુંબઈની અંદર 84 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.
84 ની ઉંમરમાં એક્ટરનું દુઃખદ નિધન થતા તેમની સાથે કામ કરનાર લોકો તથા મિત્રજનોમા ભારે દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી, આ અંગે એમ પણ જાણવા મળ્યું છે કે એક્ટરનું મૃત્યુ માથામાં થયેલ ઇજાને લીધે થયેલ છે,કહેવામાં આવી રહ્યું છે કે તેમના ઉપર છતનો ટુકડો પડ્યો હતો જેના લીધે મગજના ભાગે તેઓને ગંભીર ઇજા થવા પામી હતી જેના લીધે તબીબોએ તેઓનું ઑપરેશન કર્યું હતું, ઑપરેશનતો સફળ રીતે પૂર્ણ થઇ ગયું પરંતુ તેઓની હાલત હજુ ઠીક થઇ ન હતી.
એવામાં આ ઇજાએ હવે આ કલાકરને દુનિયામાં થોડાક જ સમયની અંદર હતા નહોતા કરી દેતા ચારેય તરફ શોકનો માહોલ છવાય ગયો છે. સતીન્દર કુમાર ખોસલા બીરબલના નામેથી સૌ કોઈ લોકી ઓળખે છે, તેઓએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત “ઉપકાર” ફિલ્મથી કરી હતી જે બાદ તેઓ ફક્ત હિન્દી સિનેમા જ નહીં પરંતુ મરાઠી, પંજાબી, તથા ભોજપુરી સિનેમાની અનેક ફિલ્મોમાં કામ કરીને પોતે કામ કરેલ ફિલ્મનો આંકડો 500 એ પોહચાડી દીધો હતો.
ભગવાન આ દિગ્ગજ કલાકારની આત્માને શાંતિ આપે. ૐ શાંતિ.