Entertainment

બોલીવુડની પીઢ અભિનેત્રી આશા પારેખ જાણો ક્યાં કારણે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને શું સંબંધ છે ગુજરાત સાથે?

આપણે ભલે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા નથી પરંતુ ગુજરાતી ફિલ્મ એક સમયે સુવર્ણ યુગ ગણાતો અને તમને એ વાત ની જાણ નહીં હોય કે બોલીવુડમાં આજે જે લોકપ્રિય કલાકારો બોલીવુડમાં છે તે ગુજરાતની રંગભૂમિમાંથી બન્યા છે. આજે અમે વાત કરીશું ગુજરાતી સિનેમાની પીઢ અભિનેત્રી આશા પારેખ વિશે જેને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું અને ગુજરાત સાથે ખાસ ગાંઢ સંબંધ ધરાવે છે. ચાલો અમે આપને સંપૂર્ણ માહિતી જણાવીએ.

આશા પારેખ ભલે હિન્દી સિનેમાની સફળ અભિનેત્રી હોય પરંતુ તે કુશળ નૃત્યકાર પણ છે. ગુજરાતી મૂળ ધરાવતા હોવાથી તેમણે થોડીઘણી નોંધપાત્ર ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. જેવી કે, અંખડ સૌભાગ્યવતી, કુળવધુ, વગેરે જેવી ફિલ્મોમાં તેમને કામ કર્યું કારણ કે તેંમનો જન્મ બેંગ્લોરમાં થયેલ પરંતુ ગુજરાત તેનું મૂળ વતન છે અને આ જ કારણે ગુજરાતી ફિલ્મો અને ગુજરાત સાથે ખાસ સંબંધ ધરાવે છે.

આશાએ ૧૬ વર્ષની વયે અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને અભિનેત્રી તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ ગુંજ ઉઠી શહનાઈ (૧૯૫૯)થી બાકાત કરી દીધાં. ત્યારબાદ તરત જ નિર્માતા એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ દિલ દે કે દેખો (૧૯૫૯)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી.

ધીમે ધીમે આશાએ સમાજસેવાના કાર્યો પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યુ હતું. નોંધપાત્ર છે કે, સાંતાક્રુઝની એક હોસ્પિટલ સાથે આશા પારેખનું નામ જોડવામાં આવ્યું છે. ૧૯૯૮માં આશાએ સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટીફિકેશનના ચેરપર્સન તરીકેનો હોદ્દો ગ્રહણ કર્યો. ઉલ્લેખનીય છે કે સેન્સર બોર્ડના ચેરપર્સન બનનાર તે પ્રથમ મહિલા હતી. ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં આશાએ ગુજરાતી સીરીયલ જ્યોતિ સાથે ટીવી જગતમાં ડાયરેક્ટર તરીકેની કારકિર્દીની સફળ શરૂઆત કરી.અનેક સીરીયલોનું નિર્માણ કર્યુ છે.

આશા હિન્દી ફિલ્મ જગતમાં સુપરસ્ટાર તરીકેનું બિરૂદ મેળવનાર ગુજરાતી મહિલા છે. જો કે હિન્દી ફિલ્મોમાં તે કારકિર્દીની ટોચ પર હતી તે વખતે પણ ૧૯૬૩માં અંખડ સૌભાગ્યવતી ભવ જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા તેણે આપી હતી. તે ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી અને ગુજરાતી પ્રજા દ્વારા તે ફિલ્‍મને પસંદ કરવામાં આવી હતી.

આશા આજીવન કુંવારી રહી, એટલું જ નહીં ક્યારેય કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને પણ તેનું નામ ચર્ચાસ્પદ ન બન્યું. કદાચ અભિનેતાઓ માટે આશા જેવી જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હતું, એટલા માટે જ તેઓ આશાથી દૂર રહ્યા. માતા-પિતાનાં મૃત્યુ પછી તેણે પોતાનો વિશાળ બંગલો વેચી નાંખ્યો અને એક નાના સરખા મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!