અમર પાત્ર ભજવીને આ કલાકારો ગુમનામ થયા પરંતુ આજે કરે છે આવું કામ…
ટેલિવિઝનની દુનિયામાં એવા ઘણા કલાકાર છે, જેમણે અભિનયની દુનિયામાં રાજ કરીને હાલમાં ગુમનામીનું જીવન જીવી રહ્યા છે, ત્યારે આજે આપણે વાત કરીશું એવા જ અભિનેતા અને અભિનેત્રી વિશે જેઓ આજે અભિનય સાથે તો કોઈ બીજા ક્ષેત્ર જોડાયેલા છે.એક સમય એવો હતો કે, જ્યારે અભિનયક્ષેત્રમાં અને દર્શકોના દિલમાં તેમનું પ્રભુત્વ હતું અને ખૂબ જ નામના મેળવી હતી.આજનાં સમયમાં તેમને એટલી જ લોકપ્રિયતા જીવંત રાખી છે.
આજે સૌથી પહેલા વાત કરીશું આપણે શક્તિમાન સિરિયલ થી બાળકો અને મોટા લોકોના હદયમાં અનેરું સ્થાન બનાવનાર અભિનેતા મુકેશ ખન્ના એ મહાભારત સિરિયલમાં ભીષ્મપિતામહનું પાત્ર ભજવ્યા બાદ શક્તિમાંન થી લોકપ્રિય થયેલ. આ બાદ તેમણે અભિનયની દુનિયામાંથી જાણે વનવાસ જ લઇ લીધો. ખરેખર આજે લોકો તેમને પડદા પર જોવા માગે છે. તેમના ચાહકો તેમને ભુલ્યા નથી.
એકતા કપૂરની સૌથી લોકપ્રિય સિરિયલ કસોટી ઝીંદગી કી સિરિયલનાં દરેક કલાકાર લોકોના હૈયામાં વસી ગયેલ જેમાં એક નામ એટલે સિઝન ખાન જેમને અનુરાગના પાત્ર થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને આ સિરિયલ બાદ તેને અભિનય ની દુનિયામાં થી ગુમનામ થઈ ગયો હતો પરંતુ થોડા વર્ષ પહેલા જ તેઓ ફરી અભિનયની દુનિયામાં પાછા આવ્યા હતા.
વર્ષ 1994 થી1996માં ચંદ્રકાંતાની ભૂમિકા ભજવનાર શીખા સ્વરૂપ 1988માં મિસ ઇન્ડિયા નો ખિતાબ મેળવેલ.ખરેખર આ ઘટના ખૂબ જ યાદગાર હતી તેના જીવમમાં પણ તેને અભિનયની દુનિયામાંથી વિદાઈ લઈને ગુમનામી ભર્યું જીવન વિતાવ્યું અને હાલમાં પણ તેઓ અભિનય થી દુર જોડાયેલ છે.ખરેખર ઉમદા કલાકાર ની ખોટ સદાય રહેશે.
અરુણ ગોવિલ નું નામ આવતા જ સૌના મોંઢા પર રામ નામનો શબ્દ આવી જાય.રામાનંદ સાગર ની રામાયણ લોકોને પવિત્રતા અને પ્રભુ રામના જીવનથી રુબરુ કરાવ્યા અને આ સિરિયલ મુખ્ય અભિનેતા એટલે રામ નું પાત્ર અમર કરનાર અરુણ ગોવિલ આ સિરિયલ બાદ અભિનયમાંથી ગાયબ થઈ ગયા હતા અને આજે પણ તેઓ આ ક્ષેત્રમાંથી અલગ જ પોતાની દુનિયામાં તેમનું જીવન જીવી રહ્યા છે.
શ્વેતા કવાત્રા એટલે કહાની ઘર ઘર કી સિરિયલ થી લોકપ્રિય અભિનેત્રી! આ અભિનેત્રી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી પરંતુ આ સિરિયલ બાદ અભિનય છોડીને ગુમનામીમાં જીવન વિતાવેલું અને તેનુંકારણ અંગત છે.હાલમાં વર્ષો પછી ફરી એકવાર અભિનય સાથે જોડાયેલ છે, ત્યારે ખરેખર આ એક ગર્વ અનુભવવા જેવી વાત છે.