India

વકીલ ના લગ્ન ની અનોખી કંકોત્રી ! જેમા બંધારણ ની અનેક કલમો અને અન્ય એવી એવી માહિતી લખી કે..

હાલ લગ્નની સીઝન ખુબ ઝોર શોર થી ચાલી રહી છે, તેમાં દરેક નવ યુગલ નું સપનું હોઈ છે કે, તે પોતાના લગ્ન ની તમામ યાદ યાદગાર બનાવા માંગતા હોઈ છે, પોતાના લગ્ન ના બધા ક્ષણ ખુબજ સારી રીતે એન્જોય કરવા માંગતા હોઈ છે, અને ખાસ તો છેલ્લા બે વર્ષથી લોકડાઉન ના કારણે કોઈપણ નવયુગલ પોતાની ઈચ્છા મુજબ લગ્ન કરી શક્યા જ નથી, તેથી હાલ હવે કોરોનાની મહામારી હળવી થતા લોકો ખુબજ ધામધુમથી પોતાના શોખ મુજબ લગ્ન કરે છે.

તેવીજ એક વાત કરીએ તો દરેક યુગલ ના લગ્ન ની પ્રથમ પસંદગી ની વાત કરીએ તો તેની લગ્નની કંકોત્રી લગ્નની કંકોત્રી માટે નવ યુગલ ખુબજ પ્રયાસ કરતા હોઈ છે, કે તેમના લગ્ન નું આમંત્રણ ખુબજ ક્રિએટીવ દેખાય. તેવીજ એક તાજેતરમાં સોશ્યલ મીડિયા પર અનોખી કંકોત્રી નો ફોટો વાયરલ થઇ રહ્યો છે. આ કંકોત્રી ની વાત કરીએ તો આ એક વકીલ ના લગ્નની કંકોત્રી છે.

આ કંકોત્રી ની વાત કરીએ તો આ કંકોત્રી ગુવાહાટી અને અસમના વકીલ નું છે, કે તેની ડીઝાઇન જેમાં બંધારણ ની થીમ નો ઉપયોગ કરવા માં આવે છે, તેથી લોકો આ ડીઝાઇન જોઈ ખુબજ આશ્ચર્ય પામે છે.આ કાર્ડ ની નવીનતા ની વાત કરીએ તો કાર્ડમાં સમાનતા નું પ્રતિનિધિત્વ કરતા ન્યાય ના ત્રાજવામાં વર-વધુ ના નામ લખવામાં આવ્યા છે. લગ્નના કાર્ડમાં ભારતીય લગ્નને નિયંત્રિત કરનારા કાયદા તથા અધિકારનો પણ ઉલેખ્ખ કરવામાં આવ્યો છે. અને વિવાહ ના આ કાર્ડ માં ભારતીય બંધારણ ની કલમ ૨૧ અંતર્ગત જીવન અધિકારનો એક ઘટક છે. તેથી આ મૌલિક અધિકારનો ઉપયોગ કરીને તા:-૨૮ નવેમ્બર ના રોજ લગ્નગ્રંથી થી જોડાઈ રહ્યા છે.

આ કાર્ડ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જોવા વાળા એ ઘણી બધી કોમેન્ટ્સ કરી હતી. જેવી કે આ લગ્નના ફેરા શું કોર્ટરૂમ માં લેવાના છે, અને બંને એકબીજાના નામની આગળ એડવોકેટ લખતા ભૂલી ગયા છે, તેવી હાસ્યપ્રદ કમેન્ટ્સ પાસ કરી છે. આવી કમેન્ટ્સ જોતા બધા લોકો વિચારે છે, કે આ લગ્નનું કાર્ડ એટલું યુનિક અને રસપ્રદ છે, તો આ લોકોનું ડેકોરેશન કેવું હશે, આ લોકોના લગ્ન કેવા હશે. કેવા અદભુત લગ્ન હશે. અને આ લગ્ન ના વર-વધુ બંને એડવોકેટ જ છે તેમણે તેમના લગ્ન પ્રસંગે પોતાના પ્રોફેશન પર કેવી અલગ  અલગ ક્રિએટીવીટી કરી હશે, તે આપણે વિચારી પણ ન શકીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!