લગ્ન બાદ આ નવદંપતી હનીમૂન પર જવા ને બદલે શતાબ્દી મહોત્સવ મા પહોંચી ગયું અને સેવા કરી…
હાલમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે બહુ જ મોટા પ્રમાણ માં અમદાવાદ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજબરોજ કરોડોની સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે પ્રમુખ સ્વામી નગર ની મુલાકાતે જતાં હોય છે તો ઘણા લોકો એવા પણ જોવા મળ્યા છે કે જે પોતાની નોકરી ધંધા માં વિરામ મૂકીને આ શતાબ્દી મહોત્સવ માં પોતાની સેવા આપવા માટે પણ આવી પહોહયા છે અને સાથે જ તમને જણાવી દઈએ કે આ શતાબ્દી મહોત્સવ માં આવતા લોકો આમિર, ગરીબ કે જાતિ વાદ ને દૂર રાખીને પોતાની સેવા આપવા માટે અહી આવ્યા છે .
જેમાં ઘણા વિધ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે જે પોતાના અભ્યાસ ની સાથે સાથે આ મહોત્સવ માં સેવાનું કામ કરતાં જોવા મળ્યા છે. સાથે જ ઘણા લોકો એવા પણ જોવા મળ્યા છે કે જેઓ પોતાની લાખો રૂપિયાની નોકરી ને મૂકીને આ શતાબ્દી મહોત્સવ માં મહિનો અગાઉ સેવા આપવા માટે આવી પહોચ્યા છે અને હજુ પણ અવિરત પણે આ સેવા કરતાં નજર આવે છે. જેમાં ધંધો કરતાં લોકો અન્ય લોકોને પોતાનું કામકાજ બીજા ને સોપીને હરી ગુરુજીના ચરણોમાં રાજીપો મેળવવા માટે આવી પહોચ્યા છે,
આમ અત્યારે ચારેબાજુ થી લોકો અહી સેવા કરવા આવતા જોવા મળ્યા છે . ઘણા લોકો એવા પણ છે કે જેમના પરિવારના કોઈ સભ્ય ના લગ્ન આવતા હોવાથી તેઓએ લગ્નની તારીખને પણ આગળ વધારી નાખી છે તો ઘણા લોકો પોતાના લગ્ન પછી હનીમૂન કે ફરવા જવાના બદલે સ્વામી મહારાજ ની સેવામાં હાજર થઈ રહ્યા છે ત્યારે આજે અમે તમને કઈક આવો એક કિસ્સો તમારી સામે મૂકવા જય રહ્યા છીયે. જ્યાં એક કપલ પોતાના લગ્ન બાદ તરત જ હનીમૂન પણ જવાના બદલે આ સેવાના કાર્યોમાં જોડાયા હતા.
જેમાં એક યુવકે પોતાના લગ્ન પછી તરત જ પોતાની પત્ની અને તેના સાસરિયાં ને લગ્ન થયા બાદ આ સેવામાં જવાનું હોવાની વાત જણાવી હતી અને આમ મોટા પ્રમાણ માં લોકો પોતાની સેવા પ્રમુખ સ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવમાં આપતા નજર આવે છે. તો આવો જાણ્યે આ નવ દંપતી વિષે. અમે જે કિસ્સા ની વાત કરી રહ્યા છીયે તે અમદાવાદ ના ઘાટઘોડિયા વિસ્તારમાં રહેતા સૌમિલ કમલેશભાઈ મોદી છે કે જેઓ એક પ્રાઈવેટ બેન્ક માં ફરજ બજાવી રહ્યા છે.
તેઓએ મીડિયાને જણાવ્યુ હતું કે હું 35 દિવસની સેવામાં જોડાયો છું. પ્રમુખસ્વામી વિશ્વવંદનીય સંત હતા. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જ્યારે વાત કરીએ ત્યારે બધાને ગુણાનુભાવ થાય છે અને બધા રાજીખુશીથી રજા પણ આપતા હોય છે. મને પણ બેંકમાંથી રજા આપી દેવામાં આવી હતી. મારી સગાઇ એપ્રિલ-2022માં થઇ હતી. પછી અમે વિચારતા હતા કે શતાબ્દી મહોત્સવ પહેલાં લગ્ન વિધિ રાખવી કે પછી રાખવી? પ્રમુખસ્વામી મહારાજ પત્રો દ્વારા માર્ગદર્શન આપતા હતા.એ જ શ્રુંખલામાં મહંત સ્વામી મહારાજને પત્ર લખીને અમે માર્ગદર્શન માગ્યું હતું.
મહંત સ્વામી મહારાજે આશીર્વચન આપતાં કહ્યું, શતાબ્દી મહોત્સવ પહેલાં જ લગ્નવિધિ કરી દો. તો જ સજોડે શતાબ્દી મહોત્સવમાં સારામાં સારી સેવા થઈ શકે. મહંત સ્વામીના આશીર્વાદથી 27-11-2022ના રોજ અમે લગ્ન કર્યા હતા. લગ્નવિધિ પછી પૂર્વતૈયારીના રૂપે નગરમાં આવવા-જવાનું તો રહેતું જ હતું, પરંતુ સેવામાં 11 ડિસેમ્બર-2022ના રોજ આવી ગયાં છીએ. મારાં પત્ની પણ સત્સંગી છે અને યોગ્ય તાલીમ કેન્દ્રના સભ્ય પણ રહી ચૂક્યાં છે. અમે લગ્ન પછી સજોડે સેવામાં અહીં જોડાઈ ગયાં છીએ.
એક પ્રશ્ન ના જવાબ માં તેઓએ જણાવ્યુ હતું કે જ્યારે બાપાના આશીર્વાદ આવ્યા હતા કે પહેલા લગ્ન વિધિ પૂરી કરવાની છે અને આમ ત્યારથી જ અમે નકકી કરી લીધું હતું કે લગ્ન પછી ફરવા તો ગમે ત્યારે જય શકાય પરંતુ શતાબ્દી મહોત્સવ તો 100 વર્ષ માં એકવાર આવતો હોય છે આથી આ અવસર જો ચૂકી જઇયે તો જીવન ભરનો વસવસો રહે આથી અમે લગ્ન પછી કોઈ જગ્યાએ ફરવા જવાના બદલે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં જઈને ત્યાં આમારી સેવા આપી ગુરુ હરિનો રાજીપો મેળવવાનું નક્કી કર્યું.
આ બાબતે સૌમિલ મોદી ની ધર્મપત્ની માનસી મોદીર કહ્યું હતું કે મેં નર્સિંગ કર્યું છે. અત્યારે મારી સેવા મેડિકલ ડિપાર્ટમેન્ટમાં સ્ટાફ નર્સ તરીકે છે. સેવામાં હું 11 ડિસેમ્બર-2022ના રોજ જોડાઈ છું અને 35 દિવસની સેવા છે. એટલે 18-1-2023 સુધી સેવામાં છું. 27-11-2022ના રોજ અમારા મેરેજ થયા હતા. એના 10 દિવસ બાદ અમે બંને જણા સેવામાં જોડાયાં છીએ. બાપાએ કહ્યું હતું કે આ મહોત્સવ એવો છે કે ન ભૂતો, ન ભવિષ્યતિ, એટલે સેવા અમારે અચૂક લેવી હતી. જેથી અમે ફરવા જવાનું પ્લાનિંગ કર્યું નહોતું. સેવા જેટલા દિવસની મળે એ પહેલાં લઈ લઇશું અને બાપાનો રાજીપો પ્રાપ્ત કરીશું. હજુ ફરવા જવાનું વિચાર્યું નથી. શતાબ્દીની સેવા સારી રીતે થઈ જાય અને પહેલા ગુરુ હરિનો રાજીપો પ્રાપ્ત કરી લઇએ પછી ફરવા જઇશું. અમે સત્સંગી હતા ત્યારે અમારો મેળાપ થયો.
અમદાવાદ માં રહેતા અને પ્રાઈવેટ કંપની માં એકાઉન્ટન્ટ નું કામ કરતાં રોનક બલદેવભાઇ ધુમાળે એ દીવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં જણાવ્યુ કે તેમના લગ્ન 25-11-22 રોજ થયા હતા અને તેઓ આ શતાબ્દી મહોત્સવ માં 13-12-22 થી જોડાયા છે તેમના ધર્મપત્ની પણ ગુણભાવી છે આથી લગ્ન પહેલા જ પ્રમુખ સ્વામી મહારાજ ના શતાબ્દી મહોત્સવ માં જવાના પ્લાન વિષે મે તેને જાણ કરી હતી અને આ વાત થી તે પણ તૈયાર હતી. આથી અમે કોઇ જગ્યાએ ફરવા જવાના બદલે શતાબ્દી મહોત્સવ માં જવાનું પસંદ કર્યું .
જેમાં તેઓ 35 દિવસ થી આ સેવામાં છે અને આ સેવા પૂરી થયા બાદ તેઓ બીજે કઈ ફરવા માટે વિચારશે. આ સાથે જ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ માં અવિરત કામ કરતાં સવ્યંસેવકો જોગ મહંત સ્વામીએ ઓડિયો દ્વારા સંદેશો જાહેર કરીને કહ્યું હતું કે સ્વયંસેવકો, તમે બધા જોરદાર સેવા કરી રહ્યા છો, ભગવાન આપણી સાથે છે. તમે બધા બળ ને હિંમત રાખીને સેવા કર્યે જજો. તમને બધાને આશીર્વાદ છે કે બધાને ખૂબ બળ ને હિંમત રહે.આ સાથે જ સાધુ યજ્ઞપ્રિયદાસજી એ હરિભક્તો ને જણાવ્યુ હતું કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 15-1-2023 ના સાંજના 5 થી 8 વાગ્યા દરમિયાન બહુ જ ધામધૂમ થી ઉજવવામા આવશે. આમ હાલમાં તો મોટા ભાગના હરિભક્તો પોતાની સેવા દ્વારા ગુરુ હરિનો રાજીપો મેળવી રહ્યા છે.