મુકેશ અંબાણી બાદ નીતાબેન અંબાણી પહોંચ્યા દ્વારકાધીશના દર્શને !! શ્રી દ્વારકાધીશની પૂજા કરી અને પછી… જુઓ તસ્વીર
અંબાણી પરિવારના ઘર આંગણે અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન પૂર્ણ થતા જ મુકેશ અંબાણી પોતાની માતા અને વેવાઈ-વેવાણ સાથે જગતમંદિર માં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન અને પૂજન કર્યું હતું. આ શુભ અવસરે નીતા અંબાણી હાજર નહોતા રહ્યા, જેથી ગઈકાલના રોજ નિતા અંબાણી દ્વારકા પધાર્યા હતા અને તેમણે શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ચાલો અમે આપને આ સમાચાર વિષે વધુ વિગતવાર જણાવીએ કે નીતા અંબાણીજીની દ્વારકા યાત્રા કેવી રહી? આપને જણાવી દઈએ કે, અંબાણી પરિવાર શ્રી નાથજી અને દ્વારકાધીશ પ્રત્યે અતૂટ આસ્થા ધરાવે છે અને વર્ષમાં એકવાર તો દ્વારકાધીશના દર્શન અચૂકપણે કરે છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ઠાકોરજીના ઉત્થાપન સમયે નીતા અંબાણી જગતમંદિરે દર્શનાર્થે પધાર્યા હતા અને ત્યારબાદ શ્રી રાજાધિરાજ દ્વારકાધીશના દર્શન કર્યા બાદ તેમણે જગતમંદિરમાં શ્રી દ્વારકાધીશની પાદૂકાનું પૂજન કર્યું હતું અને અને ઠાકોરજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. નીતા અંબાણી શ્રી કૃષ્ણના અતૂટ ભક્ત છે અને તેઓ અવારનવાર દ્વારકાધીશના દર્શનાર્થે પધારે છે પરંતુ તેમના ઘર આંગણે પોતાના પુત્ર અને પુત્રવધુનો પ્રસંગ ખુબ જ સુખદ રીતે પૂર્ણ થતા શ્રી દ્વારકાધીશને શીશ નમાવ્યું હતું.
જગતમંદિરના દર્શન કર્યા બાદ નીતા અંબાણીએ શારદામઠમાં ચાલતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી અને વ્યાસાસનેથી બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા તેમજ કથાનું રસપાન પણ કર્યું હતું, હાલમાં આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને લોકો પણ અંબાણી પરિવારની ભક્તિ જોઈને અભિભૂત થયા છે કારણે કે અબજોપતિ હોવા છતાં પણ કોઈપણજાતના અભિમાન વગર તેઓ જમીન સાથે જોડાયેલ છે.
તમને જણાવી દઈએ કે, તા.. 1 માર્ચ થી 3 માર્ચ સુધી રિલાયન્સ ગ્રીન્સમાં ભવ્ય પ્રિ વેડિંગ સેલિબ્રેશન તેમજ આસપાસના ગામ અને પોતાના વતન ચોરવાડ ખાતે પણ અન્નસેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પ્રસંગ પૂર્ણ થતા જ મુકેશ અંબાણી બાદ નીતા અંબાણી પણ શ્રી દ્વારકાધીશના ચરણે આવ્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને ખુબ જ ધન્યતા અનુભવી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.