અમદાવાદ : વધુ એક ઢોંગી ભુવાની કાળી કરતુત ! 15 વર્ષની સગીરા ને પ્રેમ જાળ મા ફસાવી ને…
આપણા હિન્દૂ ધર્મમાં આસ્થા અને શ્રદ્ધા અતૂટ જોવા મળે છે અને આજ કારણે શ્રદ્ધા અંધશ્રદ્ધાનું સ્વરૂપ બની જાય છે, ત્યારે માણસો ઢોગી અને ધુતારા લોકો પર વિશ્વાસ રાખી લેતા હોય છે, જેનું પરિણામ ખૂબ જ ગંભીર આવે છે.હાલમાં જ એક એક ગંભીર પ્રકારની ઘટના બની છે, તે જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ છે કે, અમદાવાદ શહેરમાં વધુ એક ઢોંગી ભુવાની કાળી કરતુત સામે આવી છે જાણવા મળ્યું છે કે, 15 વર્ષની સગીરા ને પ્રેમ જાળમાં ફસાવીને જે કર્યું તે જાણીને તમારા હોશ ઉડી જશે.
આજના સમયમાં લોકો પોતાના દુઃખ દૂર કરવા માટે ભુવા, સાધુ કે, તાંત્રિક કે પંડીતોનો સહારો લેતા હોય છે પરંતુ ક્યારેક વ્યક્તિ પારખવામાં આપણે થાપ ખાઈ જતા હોય છીએ અને ઢોંગી લોકો ઉપર વિશ્વાસ કરી લેતા હોય છે, ત્યારે હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરમાં એક ઢોંગી ભુવાએ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. મહેશ રાવલ નામના ભુવાએ 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને તેને મૂકીને ફરાર થઈ ગયો હતો.
સોલા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરા 22 માર્ચની રાતે 11 વાગે ઘરે ન મળતા પરિવારે શોધખોળ કરી અને બીજા દિવસે મહેસાણામાં આવેલા મામાના ઘર નજીક મળી આવી હતી. ત્યારબાદ યુવતી નવા પૂછ્તા કહ્યું કે,ભુવો મહેશ રાવલ ગાડીમાં ફરાવવા લઈ જવાના બહાને લઈ ગયો અને ત્યાર બાદ હોટલમાં જમવાનું કહીને રૂમમાં દુષ્કર્મ આચર્યું. તે ઘરે મુકવા આવ્યો પણ ઘરે ભીડ ને મહેસાણા લઈ જઈ ત્યાં છોડીને ફરાર થઈ ગયો હતો
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, સગીરાના ઘરે માતાજીની વિધિ કરવા માટે ભુવો મહેશ રાવલ અને ભુવો ખલી એક મહિના પહેલા આવ્યા હતા. આ દરમિયાન આરોપીને સગીરા પસંદ આવી જતા તેને મોબાઈલ નંબર આપ્યો હતો અને વિધિના બહાને 22 માર્ચનાં દુષ્કર્મ આચરી છોડી દીધી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને મેડિકલ તપાસ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.