અમદાવાદ : તસ્કરોએ પણ ફિલ્મો જોઈને ચોરીની સ્ટાઈલ બદલી નાખી છે, જાણો ચોરીનો અજીબ કિસ્સો
આજના સમયમાં ચોરો પણ સાતીર બન્યા છે અને એવી રીતે ચોરીઓ કરે છે કે, તમે પણ ચોંકી જશો.તસ્કરોએ પણ ફિલ્મો જોઈને ચોરીની સ્ટાઈલ બદલી નાખી છે, જાણો ચોરીનો અજીબ કિસ્સો.ખરેખર અમદાવાદ શહેર પોલીસની સુરક્ષાની વાતો પર સવાલ ઉભા થયા છે. ચાંદખેડામાં <span;>મુખ્ય રોડ પરના જવેલર્સમાં ચોરીની ઘટના બની છે. જવેલર્સ શોપમાં લોખંડની જાળી હોવાથી તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી 25 લાખથી વધુના દાગીના ચોરી ફરાર થઈ ગયા છે.
જ્યારે સવારે પૂજાપાની દુકાનના માલિક આવ્યા તો બધું વેરણ છેરણ પડ્યું હતું. જેથી દુકાનમાં તપાસ કરતા દીવાલમાં બાકોરું હતું. રાજ જવેલર્સના માલિકને તેઓએ ફોન કર્યો હતો. ફોન કરતા જ માલિક આવ્યા અને જોયું તો દીવાલમાં પાડેલા બાકોરામાંથી તસ્કરો આવ્યા અને ડિસ્પ્લેમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના સહિતની મતા ચોરી ગયા હતા.
પોલીસે બન્ને જગ્યાઓ પર તપાસ કરી તો સામે આવ્યું કે પહેલા તસ્કરોએ પૂજાપાની દુકાનમાં નાનું બાકોરું પાડયું પણ ઇલેક્ટ્રિક બોર્ડ નડતા બીજું બાકોરું પાડ્યું અને ચોરીને અંજામ આપ્યો હતો.હાલ પૂજાપાની દુકાનમાંથી વીસેક હજાર અને જવેલર્સ શોપમાંથી 25 લાખની ચોરી થઈ હોવાનું મનાય રહ્યું છે.તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા અને તેના લીધે જ હવે પોલીસને ચોર સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરવું પડશે.
હાલ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડથી તપાસ શરૂ કરાઇ છે. દિવાળીની આસપાસના સમયથી જ જાણે પોલીસની દશા બેઠી છે.નરોડા વિસ્તારમાં જ્વેલર્સ માલિકના કરોડો રૂપિયાનાં સોનાનાં દાગીના લઈને પલાયન થઈ જનાર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે 2 કિલો 719 ગ્રામ સોનું કબ્જે કર્યું છે. માણેક ચોકમાં જવેલર્સની દુકાન ધરાવતા મુકેશભાઈ ઘાંચી 16 મી ઓકટોબરે અલગ અલગ ડિઝાઇનનાં 4 કિલો 625 ગ્રામ સોનાનાં દાગીના ભરેલ બેગ લઈને તેમની દુકાનેથી નીકળ્યા હતા.