Gujarat

એક જ પરિવારનાં 4 સભ્યોની ક્રૂર હત્યાનો બનાવ બન્યો! શંકાસ્પદ હત્યારો કોણ છે જાણીને…

દિવસે ને દિવસે હત્યાઓના અને આત્મહત્યાનાં બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક એવો બનાવ બન્યો જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. વાત જાણે એમ.છે કે, અમદાવાદ શહેરના વિરાટ નગરમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી છે, આ બનાવ પાછળનું કારણ શું છે એ જાણીને તમે પણ આશ્ચય પામી જશો. ચાલો ત્યારે આ ઘટના કંઈ રીતે બની તેના વિશે સંપૂર્ણ માહિતી અમે આપને જણાવીએ.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ચાર દિવસ પહેલા જ આ હત્યા નો બનાવ સામે આવ્યો છે, હત્યા પછી હત્યારો હત્યા બાદ ફરાર થઈ ગયો છે. આ હત્યામાં મૃતકમાં બે બાળકો પણ હોવાનું હાલ સામે આવી રહી છે. ખરેખર એ અંદાજ લગાવી શકાય કે હત્યારો કેટલો નિદર્ય હશે કે તેને બાળકોને મારી નાખ્યા.

સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ અલગ અલગ રૂમમાંથી ચાર લાશ મળી છે મૃતદેહ બહાર આવતા અત્યંત દુર્ગંધ આવી રહી હતી કારણ કે ચાર દિવસ સુધી કોઈને જાણ ન પડી આ હત્યા પાછળ ઘર કંકાસ જોવાનું પ્રાથમિક તારણ પોલીસ અધિકારીઓ માની રહ્યા છે.રેયને શરીર પર હથિયાર માર્યાના નિશાન હતા. 15 દિવસ અગાઉ જ નિકાલથી પરિવાર ઓઢવ રહેવા આવ્યો હતો.

પોલીસ સૂત્રોએ ચાર સભ્યોને તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતારાયા હોવાની શક્યતા વ્યક્ત કરી છે. પહેલા તીક્ષ્ણ હથિયાર ઝીંકાયા બાદ હતભાગી બેભાન થયા હશે અને એ જ સ્થિતિમાં તેમની હત્યા થઈ હોવાની શક્યતા છે. હત્યા બાદ શંકાસ્પદ વિનોદ મરાઠી નાસી છૂટ્યો છે. મળેલી માહિતી મુજબ વિનોદ મરાઠીને તેના સાસુ સુભદ્રા મરાઠી સાથેનો ઝઘડો હત્યાનો કારણ બન્યાની આશંકા પોલીસ વ્યક્ત કરી છે. અગાઉ થયેલા ઝઘડામાં તેણે તેની સાસુને છરી મારી હતી એન આ કારણે હજુ તપાસ ચાલુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!