ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ મા અલ્પેશ કથીરીયા થયા લાલઘુમ !કહ્યું-‘પોલીસ તાત્કાલિક ડ્રગ્સ તેમજ
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે પ્રેમ ઘણો જરૂરી છે. જો કે કોઈની પાસેથી જબરન પ્રેમ મેળવી શકાય નહિ આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આત્મીય બાબત છે. પ્રેમએ બે વ્યક્તિ નહિ પરંતુ બે આત્મનું મિલન છે. અને સાચો પ્રેમ કરનાર લોકો એવી જ ઈચ્છા રાખતા હોઈ છે કે પોતે જેને પ્રેમ કરે છે. તે ભલે સાથે રહેકે ન રહે પરંતુ હમેશા ખુશ રહે આજ સાચા પ્રેમનું લક્ષણ હોઈ છે.
પરંતુ અમુક લોકો દ્વારા પ્રેમની આ પરીભાસાનેઘણી કલંકિત કરી નાખી છે, અને પ્રેમના નામે એવા એવા કર્યો કરી બેસે છે કે જે બાદ દરેક વ્યક્તિનો માનવત પરથી વિશ્વાસ ઉઠી જાય હાલમાં આવો જ એક બનાવ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટી માંથી સામે આવ્યો હતો કે જ્યાં ફેનિલ નામનો યુવક ગ્રીષ્મા નામની યુવતીને એક તરફા પ્રેમને કારણે હેરાન કરતો હતો.
તેવામાં એક દિવસ તે ગ્રીષ્માના ઘરે જેઇને તેને હેરાન કરવા લાગ્યો જે બાદ પરિવાર તરફથી વિરોધ થતા તેણે ઘણી જ અમાનવીય રીતે ગ્રીશ્માનું ગળું કાપીને તેનું મોત કર્યું હતું હતું. આ ઘટના બાદ આખા રાજમાં લોકો દ્વારા ઘટનાની નિંદા થઇ રહી છે અને લોકોમાં ગુસ્સાની લાગણી છે. લોકો પીડિત પરિવારને ઝડપી ન્યાય મળે તેવી માંગણીકરી રહ્યા છે.
હવે આ બાબતને લઈને અલ્પેશ કથીરિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. સૌ પ્રથમા જણાવી દઈએ કે અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત અંદોલન સમિતિના કન્વીનર છે. તેમણે પણ આ ઘટનાની નિંદા કરી અને જાણવું કે વરાછા, સરથાણા, કતારગામ અને આસપાસના વિસ્તારમાં માદક પદાર્થનું સેવન વધી રહ્યું છે જેમાં યુવાનો પોતાનું જીવન બગડી રહ્યા છે.
અલ્પેશ કથીરિયા એ પોતાનો વ્યક્તિગત મત આપતા જણાવ્યું કે ફેનિલ પણ આવા કોઈક માદક પદાર્થ નું સેવન કરતો હશે. જણાવી દઈએ કે આ ઘટનાને લઈને અલ્પેશ કથીરિયાએ માદક પદાર્થના ખરીદ વેચાણ અને ખાસ તો વિસ્તારમાં ચાલી રહેલા કપલબોક્ષ ને લઈને પોલીસ ઝડપી પગલાલે તેવું અલ્ટીમેટમ આપ્યું છે.
જણાવી દઈએ કે કપલ બોક્ષમાં માદક પદાર્થના સેવનથી લઈને શારીરિક સુખ સુધીની તમામ વ્યવસ્થા છે જેના બદલામાં અનેક યુવાનો અને ખાસ કરીને કોલેજના યુવાનો અઢળક નાણા ખર્ચી રહ્યા છે. માટે પોલીસ આવા લોકો વિરુધ કર્યું કરે અને વિસ્તારના યુવાનોનું ભવિષ્ય બચાવે તેવી બાબત પણ જણાવી છે. જો વાત ગ્રીષ્મા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના પિતા આફ્રિકામાં રહે છે અને વેપાર પ્રવૃત્તિ કરે છે. પુત્રીની હત્યા ની માહિતી મળતા તેઓ આફ્રિકાથી સુરત આવવા માટે નીકળી ગયા છે તેમના આવ્યા બાદ જ કાલે ગ્રીષ્માની અંતિમ વિધિ કરવામાં આવશે.