GujaratIndia

ગ્રીષ્મા વેકરિયાની હત્યા મામલે અલ્પેશ ઠાકોર નુ ચોંકાવનારું નીવેદન -‘ મને થાય છે કે તે….

સૂરત માં સર્જાયેલ ગ્રીષ્મા ની હત્યા ના કેશને લઈને હાલમાં સૌ કોઈ રોસે ભરાયા છે એક તરફ જ્યાં કિશન ભરવાડ ના મૃત્યુનૂ દુઃખ લોકોમાં જોવા હતું તેવામાં ફરી એક વખત જાહેરમાં એક દિકરી ની હત્યાએ આખા રાજને હચ્માચાવી દીધું છે. આ ઘટનાને લઈને લોકો ઘણા ગુસ્સામાં છે અને આરોપી ને જલ્દી સજા મળે તેવી માંગ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીમાં ફેનિલ નામના એક તરિફિ પ્રેમિએ ગ્રીષ્મા નામની યુવતિ ની જાહેરમાં પરિવાર ની સામે જ હત્યા કરી હતી. અને ગ્રીષ્મા ના ભાઈ અને કાકા પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને આખા રાજમાં રોષ છે.

હત્યા ના આ બનાવ ને લઈને અનેક લોકો પોતાનો વિરોધ નોન્ધાવ્યો છે તેવામાં હવે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પણ હત્યા ની નિંદા કરતા જાહેર સભામાં હત્યારા ફેનિલ ને લઈને વાત કહી છે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા ખાતે પાટોત્સવમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે સુરતની ઘટનાને આકરા શબ્દોમાં વખોડી હતી.

અને પોતાની ગુસ્સો વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હત્યા ના બનાવો જોવા મળે છે. કેટલાંક અસામાજિક તત્ત્વો જાહેરમાં બહેન દીકરીઓ પર ત્રાસ કરતા અને ઝુલમ ગુજારતાં જોવા મળે છે. તેવામાં થોડા સમય પહેલા જ સુરતમાંથી કાળજું કંપાવી નાખે એવી ઘટના સામે આવી કે જ્યાં જાહેરમાં લોકોની વચ્ચે એક નરાધમે દીકરીને છરી મારી દીધી.

આ ઘટના અંગે જણાવતા તેમણે વધુમાં કહ્યું કે કાળજું કાંપી ઊઠે, મને પોતાને એવું થયું કે મારી રિવોલ્વરથી આ નરાધમને ગોળી મારી દઉં. આ બધું કેવી રીતે ચાલે? આ ઉપરાંત તેમણે બહેન દીકરી ની રક્ષા માટે યુવાનો ને પણ સંદેશ આપ્યો કે હું મારા યુવાનોને કહું છું કે ક્યાંય પણ દીકરીઓ માટે માથું આપવું પડે તો આપી દેવાનું, પણ આવા લોકોને ઊંચા નહીં થવા દેવાના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!