Entertainment

અનંત અંબાણીના લગ્નની ખુશીઓ વચ્ચે મુકેશભાઈની માતા કોકિલાબેનનું થયું પ્રિ-બર્થડે સેલિબ્રેશન!! જુઓ આ ખાસ તસવીરો

અંબાણી પરિવારના આંગણે આસોપાલવના તોરણીયા બંધાય એ પહેલા જ હાલમાં વધુ એક ફન્કશન યોજાયુ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારમાં કોઈ પણ નાનો-મોટો પ્રસંગ ખુબ જ ભવ્ય અને શાનદાર રીતે ઉજવાય છે. હાલમાં જ અંબાણી પરિવારના મોભી અને સ્વ ધીરુભાઈ અંબાણી ધર્મ પત્ની કોકિલાબેન અંબાણીના જન્મદિવસનું પ્રિ સલિબ્રેશન કરવામાં આવ્યું. હાલમાં સોશિયલ મીડિયા પર આ ખાસ તસવીરો વાયરલ થઇ છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે પિન્ક કલકની થીમ પર આયોજિત આ પ્રિ સેલિબ્રેશન ખુબ જ શાનદાર અને ભવ્ય છે. પહેલી નજરે જ તમારું મન મોહી જશે. ચાલો અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ.


કોકિલાબેન અંબાણી 24 ફેબ્રુઆરી, 2024 ના રોજ 90 વર્ષના થશે, જેથી તેમની બંને દિકરીઓ દીપ્તિ અને નીનાએ પોતાની માતા માટે માટે ભવ્ય પિન્ક થીમ આધારિત જન્મદિવસની ઉજવણીનું આયોજન કર્યું. આ બર્થ ડે પાર્ટીની ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરો જોઈને તમે પણ આશ્ચય પામી જશો.અંબાણી ફેન પેજ દ્વારા શેર કરાયેલી આ તસ્વીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે, બર્થ ડે ડેકોરેશન માટે તો પિન્ક કલરનો ઉપયોગ થયો છે પરંતુ સાથોસાથ સ્વીટ્સ, કેન્ડી અને ચીજ વસ્તુઓ પણ પિન્ક થીમ પર આધારિત છે.

આ બર્થ ડે પાર્ટીમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહી છે, અંબાણી પરિવારના ઘરના પ્રવેશ દ્વાર પર એક સુવર્ણ રંગની લક્ષ્મીજી ર્તિ મૂકવામાં આવી હતી, જેમાં દેવીએ ગુલાબીરંગની સાડી પહેરેલી છે. આ બર્થ ડે પાર્ટીમાં અનેક મહાનુભાવો ખાસ પધાર્યા હતા અને આપણે જાણીએ છે કે હાલમાં આકાશ અને રાધિકા લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, જેનું પ્રિ વેડિંગ સેલિબ્રેશન જામગર ખાતે રાખેલું છે. લગ્ન પહેલા જ અંબાણી પરિવારમાં જન્મ દિવસની ખાસ ઉજવણી કરવામાં આવી છે, સૌથી ખાસ વાત એ છે કે આ બર્થ ડે પહેલાનું પ્રિ સેલિબ્રેશન છે. જો પ્રિ સેલિબ્રેશન આટલું ભવ્ય અને શાનદાર હોય તો વિચાર કરો કે બર્થ ડે પાર્ટી કેટલી શાનદાર અને ભવ્ય હશે.

કોકિલાબેન અંબાણીના જીવન વિષે અમે આપને ટૂંકમાં માહિતી જણાવીએ : કોકિલાબેન અંબાણી ખુબ જ સામાન્ય પરિવારના હતા પરંતુ ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ તેમના જીવનમાં ઘણા બદલાવ આવ્યા. ધીરુભાઈ અંબાણી એ કોકિલાબેન અંબાણીને ઈંગ્લીશ શીખવવા એ ટીચર પણ રાખેલ. સૌથી ખાસ વાત એ છે કે કોકિલાબેન અંબાણીને પિન્ક કલર ખુબ જ પસંદ છે.

અને આ આજ કારણે તે મોટાભાગે પિન્ક કલરની જ સાડી પહેરવાનું પસંદ કરે છે, કોકિલાબેન અંબાણી ખુબ જ ધાર્મિક વૃત્તિ ધરાવે છે, અને સૌથી ખાસ વાત એ કે તેઓ નાથદ્વાર મંદિરના ટ્રસ્ટી પણ છે, કોકિલાબેનનું જીવન ખુબ જ સરળ અને સાદગીભર્યું છે, તેઓ પોતાના નાના દીકરા સાથે રહે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!