અનંત અને રાધિકા અંબાણીએ રામ નવમીના શુભ દિવસે આ બે મંદિરોમાં આપ્યું અધધધ આટલાં કરોડો રૂપિયાનું દાન…જાણો વિગતે
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને તેઓ અવારનવાર ધાર્મિક સ્થળોમાં દાન ધર્મ કરવાનું ભૂલતા નથી. ખરેખર અંબાણી પરિવાર શ્રી નાથજી પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે અને કોઈપણ શુભ પ્રસંગે તેઓ તેમના દર્શનાર્થે જાય છે. હાલમાં જ રામનવમીના શુભ અવસર પર મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ દાન ધર્મનું કાર્ય કર્યું છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અનંત અંબાણીએ રામ નવમીના શુભ દિવસે બે મંદિરોને 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વિરલ બયાનીની પોસ્ટ અને ડીએનએ રિપોર્ટ અનુસાર, અનંત અંબાણી રામનવમીની રાત્રે પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા હતા. આ મંદિરમાં 2.51 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અનંત મંગળવારે મોડી રાત્રે 10.30 વાગ્યે ઝેડ પ્લસ સુરક્ષા સાથે મંદિર પહોંચ્યા હતા.
આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે જગન્નાથ મંદિરના દર્શન કર્યા બાદ તેઓ આસામ જવા રવાના થયા હતા. અહીં પહોંચ્યા બાદ તેમણે કામાખ્યા દેવીના દર્શન કર્યા અને અહીં 2.51 કરોડ રૂપિયાનું દાન પણ આપ્યું. જોકે, અંબાણીએ કેટલું દાન કર્યું છે તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ખરેખર અંબાણી પરિવારના જેટલા પણ વખાણ કરીએ તેટલાં ઓછાં છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.