Entertainment

ગુજરાત ના નાનાએવા માગડા મા જન્મેલા ઓધવજી પટેલે ઉભી કરી હતી ભારત સૌથી મોટી ઘડિયાળ કંપની ! એક સમયે લાખ રુપીયા…

દરેકનાં ઘરમાં અંજતાની ઘડિયાળ તો હશે! આમ તો આ વાત કહેવાયની જરૂર જ નથી કારણ કે અંજતાની ઘડિયાળ આજે દેશભરમાં લોકોને સમય દેખાળી રહી છે. તમે ક્યારેય એ વિચાર્યું છે કે, આ ઘડિયાળની કંપનીના માલિક કોણ છે? ચાલો આજે અમે જણાવીએ કે, ગુજરત ના નાના એવા ગામડાં મા જન્મેલ ઓધવજી રાઘવજી પટેલે અજંતા કંપની ની સ્થાપના કંઈ રીતે કરી હતી ! માત્ર લાખ રૂપિયાથી શરુ કરેલી કંપની આજે 15000 હજાર કરોડની બની ગઇ.

મોરબી ગામમાં જન્મેલ ઓધવજી ભાઈ એ આ કંપનીની શરૂઆત કરી અને આજે તેઓ ભારતમાં વોલ ક્લોકના જનક તરીકે ઓળખાય છે. તેમને જ વોલ ક્લોકનું ચલણ શરૂ કર્યું હતું. કહેવાય છે ને દરેકના સપનાઓ હોય છે, ઓધવજીભાઈ પણ યુવાવસ્થામાં પાયલટ બનવા માંગતાં હતાં. તેમણે બીએસસીનો અભ્યાસ કર્યો હતો પણ પરિવારમાંથી કોઈ મદદ મળી નહોતી અને આજ કારણે તેઓ શિક્ષક તરીકે નોકરીએ લાગ્યા.

સાયન્સ ટીચર પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યારે તેમને 55 રૂપિયા મહિનાનું વેતન મળતું હતું. ઘણાં વર્ષ પછી ઓધવજી પટેલને એવું લાગ્યું કે, તેમના ચાર દીકરા અને બે દીકરીના ભરણપોષણ માટે સ્કૂલ ટીચર ની આવકમાંથી પરિવાર નહી ચાલે અને આજ કારણે તેઓ કંઈક કરવા માંગતા હતા.

તેમણે એક ઘડિયાળ બનાવવાના યુનિટ શરૂ કરવાનો વિચાર કર્યો. શરૂઆતમાં ફેક્ટરી ભાડે રાખીને કામ શરૂ કર્યું. ક્રાઇલવાળા મેગ્નેટિક બ્લોક બનાવવાની સાથે ઓધવજીભાઈના બિઝનેસની શરૂઆત થઈ હતી. ઓધવજીભાઈ તેમના નામ પરથી જ કંપનીનું નામ રાખ્યું છે. આજંતા અને ઓરપેટ ગ્રુપે ઓરેવા નામનો એક નવો બિઝનેસ શરૂ કર્યો છે. જે ઓધવજી અને તેમની પત્ની રેવા બહેનના નામના શરૂઆતના અક્ષર પરથી લેવામાં આવ્યા છે.

વર્ષ 1971માં એક લાખ રૂપિયાની મદદથી 45 વર્ષની ઉંમરમાં ઓધવજીભાઈએ તેમનો બિઝનેસ શરૂ કર્યો હતો. અજંતા ગ્રુપની શરૂઆત એક પાર્ટનરશિપ બિઝનેસ તરીકે થઈ હતી. તેનું નામ અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની રાખવામાં આવ્યું હતું. અજંતા ક્વાર્ટ્ઝના નામે એક ઘડિયાળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. કહેવાય ને કે અથાગ પરિશ્રમ ને કારણે સફળતા મળે બસ પછી તો સમય જતાં વોલ ક્લોક મેન્યુફેક્ચરર કંપની બની ગઈ છે.

આ સાથે જ કંપની ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ, સિમેન્ટ કારોબાર સાથે અન્ય ઘણાં કારોબાર પણ કરી રહી છે. ઓધવજી રાઘવજી પટેલે ભારતમાં વોલ ક્લોકના બિઝનેસમાં વર્ષ 1988માં ચમત્કારિક બદલાવ કર્યો હતો. તે સમયે બેટરીથી ચાલતી ક્વાર્ટ્ઝ ટેક્નોલોજીની શરૂઆત કરી હતી.

સમય જતા કંપનીએ નવીત્તમ ટેક્નોલોજીથી યુક્ત ઘડિયાળો બહાર પાડી અને આજે અજંતા ગ્રુપના ચેરમેન અને સંસ્થાપક ઓધવજી પટેલના પૌત્ર ચિંતન પટેલ અને નેવિલ પટેલ કંપનીને સંભાળી રહ્યા છે. ચિંતન પટેલ ગ્રુપના નિર્દેશક જયસુખભાઈ પટેલના દીકરા છે અને તે ગ્રુપમાં ઓરેવાનો બિઝનેસ જુએ છે. આજે પણ આ કંપની નંબર વન છે, જેનું કારણ છે અથાગ પરિશ્રમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!