India

મુસ્લિમ યુવતીની રામ પત્યેની ભક્તિ જોઈને વખાણ કરશો! મુંબઈથી અયોધ્યા સુધી પગપાળા શ્રી રામના દર્શન કરવા નીકળી પડી, જાણૉ કોણ છે આ યુવતી

ભક્તિનો કોઈ ધર્મ નથી તેનું ઉત્તમ ઉદાહરણ બની છે મુંબઈની શબનમ. આપણે જાણીએ છે કે, જગતભરમાં માત્રને માત્ર શ્રી રામનો જય જય કાર ગુંજી રહ્યો છે કારણ કે 22 જાન્યુઆરીના રોજ મર્યાદા પુરષોત્તમ શ્રી રામ પોતાની જન્મભૂમિમાં રાજાધિરાજ રૂપે બિરાજમાન થશે. આ ભવ્ય અને દિવ્ય ક્ષણને લઇને અનેક હિન્દૂ સુસજ્જ થયા છે.

હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, મુંબઈની મુસ્લિલ યુવતી અયોધ્યાની પદયાત્રાએ નીકળી છે. આ પદયાત્રામાં શબનમની સાથે તેના મિત્રો રમણ રાજ શર્મા અને વિનીત પાંડે પણ છે. સૌથી ખાસ અને ચોંકવનારી વાત એ છે કે, 1,425 કિલોમીટર સુધી રામ નામના જપ સાથે અયોધ્યા પહોંચશે.આ પદયાત્રા એટલા માટે ચર્ચાનો વિષય બની છે કારણ કે, મુસ્લિમ હોવા છતાં, શબનમ ભગવાન રામ પ્રત્યે અતૂટ ભક્તિ ધરાવે છે.

શબનમનું માનવું એવું છે કે, ભગવાન રામની પૂજા કરવા માટે હિન્દી હોવું જરૂરી નથી. એક સારી વ્યક્તિ બનવું એ જ મહત્ત્વનું છે ત્રણેય સોશિયલ મીડિયા પર ખૂબ ફેમસ થઈ ગયા છે, તીર્થયાત્રાના રસ્તે જે પણ તેમને મળે છે તે તેમની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં છે.

ભગવાન રામ દરેકના હૃદયમાં છે, પછી ભલે તેનો ધર્મ કે જાતિ હોય. આ લાંબી યાત્રા દરમિયાન શબનમ એ પણ સાબિત કરવા માંગે છે કે આવા પડકારોને માત્ર છોકરાઓ જ નહીં પરંતુ છોકરીઓ પણ ઉઠાવી શકે છે. શબમનને સુરક્ષા આપવા ઉપરાંત તેના ભોજન અને અન્ય વસ્તુઓની વ્યવસ્થા કરવામાં પણ પોલીસે મહત્વની ભૂમિકા ભજવી છે. પોલીસે મહારાષ્ટ્રના સંવેદનશીલ વિસ્તારોમાં તેમની સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતું અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમને મદદ કરી હતી. શબનમે સ્પષ્ટતા કરી કે તેના અયોધ્યા આવવાની કોઈ નિશ્ચિત તારીખ નથી.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!