Gujarat

રાજકોટમાંથી ATS એ ઝડપ્યા ત્રણ આતંકીઓ ! પૂછપરછ કરતા થયો ખુબ મોટો ઘટસ્ફોટ, આ તેહવારને ટાર્ગેટ બનાવાનો પ્લાન કરી રહ્યું હતું આ આતંકી જૂથ…

હાલમાં જ રાજકોટમાંથી ATS એ ઝડપ્યા ત્રણ આતંકીઓ ! પૂછપરછ કરતા થયો ખુબ મોટો ઘટસ્ફોટ, આ તેહવારને ટાર્ગેટ બનાવાનો પ્લાન કરી રહ્યું હતું આ આતંકી જૂથ. ચાલો આ આંતકી જૂથ વિષે વિગતવાર માહિતી જણાવીએ. દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ગુજરાત ATSને બાતમી મળી હતી કે પશ્ચિમ બંગાળના વતની અમન સિરાજ, શુકર અલી અબ્દુલ્લા અને સૈફ નવાઝ રાજકોટ સોનીબજારમાં નોકરી કરે છે.

આ ત્રણેય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે, તેવું સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ ત્રેણય યુવાનો રાજકોટમાં આ તન્ઝીમનો પ્રચાર કરતા હતા તેમજ રાજકોટમાં રહેતા બંગાળના અન્ય યુવાનોને આ તન્ઝીમમાં જોડાવવા પ્રેરિત કરતા હતા.
ત્રણેય આતંકીઓ જન્માષ્ટમી પર જ સૌરાષ્ટ્રમાં કોઈ ઘટનાને અંજામ આપવાના હતા. ત્રણેય આંતકીઓ AK 47 ચલાવવાની તાલીમ લેતા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી ગન ચલાવવાનું શીખતા હતા

. આ આંતકીઓને પકડવા માટે તત્ત્કાલિક જ અલગ અલગ બે ટીમ દ્વારા છેલ્લા 10 દિવસથી વોચ ગોઠવી ત્રણેય આતંકવાદીને 31 જુલાઈએ રાત્રે ઝડપી પાડ્યા.આંતકી પ્રવુતિ સાથે જોડાયેલ અબ્દુલ શુકર અલી હજરત શેખ, અમન સિરાઝ મલિક અને સૈફ નવાઝ અબુ શાહીદની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવેલ છે.હાલમાં આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!