ની:સંતાણપણાનું દુઃખ થશે દૂર, આ મંદિરમાં જઈને માનતા માનશો તો સંતાનસુખ મળશે.
આ જગતમાં સૌના દુઃખ હરનારી મા એટલે જગત જનની! જે અનેક રૂપોમાં આ ધરા પર બિરાજમાન થઈને સૌ કોઈ ભાવી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજે અમે આપને જણાવીશું એક એવા ચમત્કારી મંદિર વિશે જ્યાં ભાવિ ભકયો શેર માટીની ખોટ પુરી થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિરના જે વાજીયા આવે છે તેમને સંતાન પ્રાપ્તિ અવશ્ય થાય છે. ચાલો આ મંદિર વિશે અમે આપને માહિતગાર કરીએ કે આ ક્યાં મંદિર આવેલું છે.
અમે વાત કરી રહ્યા છે, ગુજરાતનું અતિ મહત્વ ધરાવતું મંદિર જે મહેસાણા જિલ્લામા આવેલ બહુચરા માતાજીના મંદિર પર વિશે.આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલ છે, જેની સાથે અનેક ભાવિ ભક્તોની આસ્થા જોડાયેલ છે.આ મંદિરમાં ઘણા લોકો લગ્ન પછી છેડાછેડી છોડવા માટે, બાધા ઉતારવા માટે તથા વાળ ઉતારવાની વિધિ કરવા માટે પણ આવે છે અને ખાસ કરીએ આ મંદિરમાં ની સંતાન દંપતીઓ ને સંતાનસુખ મળે છે.
આ મંદિરમા કિન્નર સમુદાય માટે વિશેષ પૂજા અને અનુષ્ઠાનનુ આયોજન પણ કરવામા આવેલુ છે. એક લોકવાયકા મુજબ બહુચર માતાજી એ અનેકવિધ દુષ્ટ રાક્ષસોનુ ભક્ષણ કર્યુ હોવાથી તેમને “બહુચર માતા” કહેવાય છે.આ મંદિરમાં કિન્નર સમુદાય નો અતિ મહિમા છે કારણ કે, ગુર્જરના એક નિઃસંતાન રાજાએ સંતાનસુખ મેળવવા માટે બહુચર માતાજીની ઉપાસના કરવાની શરૂ કરી. બહુચર માતાજી એ રાજાની ઉપાસનાથી પ્રસન્ન થઈને રાજાને પુત્રપ્રાપ્તિના આશીર્વાદ આપ્યા
સમય જતા રાજાના ઘરે પુત્રનો જન્મ થયો પરંતુ, આ પુત્ર નપુંસક હતો. એક દિવસ બહુચર માતાજી આ રાજકુમારના સ્વપ્નમા આવ્યા અને તેને પોતાનુ ગુપ્તાંગ સમર્પિત કરીને મોક્ષના માર્ગે આગળ વધવા જણાવ્યુ. ત્યારથી આ રાજકુમાર બહુચર માતાજીના ઉપાસક બની ગયા.આ ઘટનાક્રમ બાદથી જ બહુચર માતાજીને કિન્નરો પોતાના કુળદેવી માને છે અને અહીંયા કિન્નરો આશીર્વાદ લોકોને મળે છેઅને આ ધામમાં બહુચરાજી સાક્ષત બિરાજમાન છે.