ખુશી નો માહોલ દુખ મા ફેરવાયો ! પુત્રની જાન લઈને પરત ફરતી વખતે અક્સમાત મા પિતા સહીત બે ના મોત
આપણે સૌ કોઈ જાણીએ છે કે, અવારનવાર રોડ અકસ્તમાતનાં બનાવ બનતા હોય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ ઘટના બની હતી. આ ઘટનાનાં લીધે પરિવારમાં દુઃખ દ વાતાવરણ છવાઈ ગયું છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, બારડોલી તાલુકાના ભામૈયા નજીક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. જેમાં બારડોલી કડોદ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે.
લગ્નના ગીતો મરેસિયામાં બદલાઈ ગયા! ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખ છે. પરિવારે સપનામાં પણ નહીં વિચારેલું હોય કે, આવી દુઃખ દ ઘટના બનશે.સુતથી પુત્રની જાન લઈને પરત ફરી રહેલા પિતા (સહિત બેના અકસ્માતમાં મોત નીપજ્યા છે આ સાથે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ગોઝારા અકસ્માત બાદ અન્ય કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.ખરેખર આ ઘટના ને લીધે પરિવાર ઘેરા શોકમાં મુકાઈ ગયો છે. ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે, તેમની દિવ્ય આત્માને શાંતી આપે તેમજ પરિવારજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
લગ્ન જેવા શુભ પ્રસંગમાં આ કાળો કેર વ્રતાય ગયો,જેના લીધે ખરેખર આ ઘટના ખૂબ જ હ્દય સ્પર્શી અને કંપાવી ઉઠે એવી છે. પરિવાર ખુશનુમા હતું અને એક જ પળમાં આ ઘટના બનતા વાતાવરણ શોકમગ્ન બની ગયું છે. હાલમાં પોલીસ દ્વારા તમામ તપાસ હાથ ધરવામાં આવી છે અને ગાડી ચાલક વ્યક્તિઓના જીવ લઈને ફરાર થઈ ગયો એ માનવતા તો ન કહેવાય.