Gujarat

ભરુચ ના 21 વર્ષના યુવાને આપઘાત કરી લીધો ! સ્યુસાઇડ નોટ મા લખ્યુ કે “હુ પ્રેમ મા હારી ગયો…

હાલ ના સમય મા યુવાનો મા આત્મહત્યા કરવાનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે. ત્યારે રાજ્ય મા રોજ ક્યાક ને ક્યાક આત્મ હત્યાના બનાવો બની રહ્યા છે ત્યારે ફરી એક 21 વર્ષિય યુવાને સ્યુસાઇડ નોટ મા માતા પિતા ની માફી માંગી દશાન ગામના નદી મા ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

ઘટના અંગે જાણવા મળેલ વિગતો અનુસાર ભરૂચ તાલુકાના દશાન ગામમાંથી એક 21 વર્ષિય ગુમ થયો હતો તે યુવાન નામ ભારમલ વરસાવા હોવાનુ સામે આવ્યુ હતુ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે 14 એપ્રિલે એક યુવાન ગાયબ થયો હોય તેનીમાહીતી મળી હતી ત્યારે ભરૂચના દશાન ગામના નદી કિનારે એક યુવકનો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની સામાજિક કાર્યકર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. 

સામાજીક કર્યકરતાઓ દ્વારા આ ડેડ બોડી અંગે પોલીસ ને જાણ કરાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૃતદેહ ને પી.એમ માટે ખસેડવા મા આવ્યો હતો અને મૃતક ની ઓળખ મેળવવા તેના ફોટા સોસયલ મીડયા મુકવામા આવ્યા હતા. જ્યારે અગાવ થી જ મૃતક ની ગુમ થયા ની ફરીયાદ હોવાથી રવિવાર અંગે જાણકારી મળી હતી અને મૃતક નુ નામ ભારમલ વસાવા હોવાની માહીતી મળી હતી.

જ્યારે યુવાન ઘરે થી ગુમ થયો હતો ત્યારે આ અંગે પરીવારજનો ને એક સ્યુસાઇડ નોટ મળી હતી સુસાઇડ નોટમાં તેણે લખ્યુ હતુ કે ‘મમ્મી પપ્પા હું નર્મદા નદી માં પડવા જાવ છું’, ‘હું પ્યારમાં હારી ગયો એટલે જિંદગી હારી જવા માગુ છું’ મને માફ કરી દેજો, તેમ લખી ઘરે થી નીકળી ગયેલ. બનાવ સંદર્ભે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આત્મ હત્યા કરવાનુ કારણ કોઈ પ્રેમ સંબંધ નો નિષ્ફળતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!