જામનગર :ભાઈએ જે બહેનની રક્ષા કરવાની કસમ ખાધી હતી તેની જ હત્યા કરી નાખી! કારણ એવુ કે સૌ કોઈ ધ્રુજી ઉઠ્યું…
આમ તો આપણે એકબાજુ વિશ્વભરમાં ઘણી બધી તરક્કી કરી રહ્યા છે તો બીજી બાજુ વાત કરવામાં આવે તો હજી આપણા દેશની અંદર એવા અનેક સ્થળો ગામો તથા શહેરો છે જ્યાં અંધશ્રદ્ધાને બઢાવો આપવામાં આવી રહ્યો છે, એવામાં જામનગર શહેરમાંથી એક ખુબ જ ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં સગા ભાઈ-બહેનનો પવિત્ર સબંધ લજવાયો હતો. જણાવી દઈએ કે આ ઘટનામાં ભાઈએ પોતાની જ સગી બહેનની હત્યા કરીને ઢીમ. ઢાળી દીધું હતું.
હત્યાની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી અવી હતી જે બાદ તપાસ કરીને હત્યાનું કારણ તપાસ્યુ તો પોલીસ પણ ચોકી જ ઉઠી હતી કારણ કે હત્યાનું કારણ જ એટલું બધું ધ્રુજાવી દેતું હતું. જામનગરના ધ્રોલ તાલુકાની અંદર આવેલ હજામચોરા ગામની અંદર આ ઘટના બની હતી જ્યાં બિપીનભાઈ બારૈયાના ખેતરમાં રાકેશ તડવી તેની બે બહેનો સાથે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, નવરાત્રી ચાલતી હોવાને લીધે માતાજીનો પાઠ પોતાની ઓરડીની અંદર રાખ્યો હતો જેમાં મોટી બહેને ધુણતા ધુણતા કહ્યું કે જ્યા સુધી શારદા(નાની બહેન) છે ત્યાં સુધી આપણે ઘરમાં તકલીફ રહેશે જ.
આ વાતને સાચી માનીને રાકેશે વગર કોઈ સબંધને ધ્યાનમાં રાખતા નાની બહેન શારદા પર લાકડી તથા છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી, આવા ક્રૂર બનાવમાં તેનો સાથ તેની મોટી બહેને પણ આપ્યો હતો. નાની બહેનની ક્રૂર હત્યા કર્યા વાદ તેની લાશને 24 કલાક સુધી ઓરડીમાં જ રાખવામાં આવી હતી જેની જાણ ખેતમાલિકને થતા તેણે તરત જ આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવીને પુરી ઘટના વિશે તપાસ કરી હતી.
અંધશ્રદ્ધામાં પાગલ થયેલ રાકેશે બહેનની હત્યા કરી નાખી હોવાની વાડી માલિકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે આરોપી રાકેશની. ધરપકડ કરી લીધી હતી જયારે તેનો સાથ દીધેલ બહેન સગીર વયની હોવાને લીધે તેને બાળ સરક્ષણ ગૃહમાં મોકલવાનો નિર્ણય કરાયો હતો