Gujarat

ભાવનગર : 24 વર્ષના યુવાને વૃક્ષ સાથે લટકી આપઘાત કરી લીધો ! ત્રણ મહીના પહેલા જ લગ્ન થયા હતા..

હાલના સમય મા કોરોના બાદ જો કોઈ ચિંતાજનક વિષય હોય તો તો યુવાનો ની આત્મ નો હાલ ના સમય મા અનેક એવા કિસ્સાઓ સામે આવે છે જેમા કોઈ ના કોઈ યુવાને આત્મ હત્યા કરી હોય એમા પણ ખાસ કરી ને મોટા શહેરમાં મા આત્મ હત્યા ના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે ત્યારે ગઈ કાલે ભાવનગર શહેર મા એક 24 વર્ષે ના યુવાને વૃક્ષ સાથે લટકી ને ગળાફાંસો ખાઈ લેતા અરેરાટી મચી ગઈ હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર મા એક 24 વર્ષિય યુવાન ઈન્દ્રજીતભાઈ હિંમતભાઈ ખસિયા એ ભાવનગર ના વિક્ટોરીયા પાર્ક ના એક વૃક્ષ સાથે લટકી ને ગળાફાસો ખાઈ લીધો હતો. આ ઘટના કાળીયાબીડ ના માધવાનંદ આશ્રમ પાસે બની હતી. જો યુવક ની વાત કરવામા આવે તો યુવક ટોપ થ્રી પાસે રુમ ભાડે રાખી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતો હતો.

યુવક નુ મળ વતન પાલિતાણા તાલુકાના આંકોલાળી ગામ છે તેવું જાણવા મળ્યુ હતુ. મળતી વિગતો પ્રમાણે યુવકે આગલા દિવસે સાંજે પોતાના ઘરે વાત કરી હતી બાદ મા વહેલી સવારે યુવકે ગળાફાંસો ખાઈ લીધો હોય તેવુ મનાઈ રહ્યુ છે. ઘટના ની જાણ સ્થાનીક લોકો ને થતા પોલીસ ને જાણ કરી હતી.

24 વર્ષિય યુવાનના પિતા ઈલેક્ટ્રિશિયન તરીકેનું છુટક કામ તેમજ ગામમાં આવેલા એક મંદિરની સેવા પુજા કરતા હતા અને યુવક ના ત્રણ માસ પહેલા જ પાલીતાણા તાલુકાના હાથસણી ગામે
લગ્ન થયા હતા. અને ઘટના અંગે એવુ માનવા મા આવી રહ્યુ છે કે યુવકે ડિપ્રેશનના લીધે આપઘાત કરી લીધો છે. જ્યારે આ મામલે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!