Gujarat

જામનગરના દિપકભાઈ એ દુનીયા માથી જતા જતા 6 લોકો ને નવું જીવન આપતા ગયા ! સલામ તેમના..

જગતનો નિયમ છે કે, તમેં જો કોઈને આપો તો તમને એનાથી અંનતગણું ભગવાન આપે છે. એમા પણ આપણે ત્યાં દાનનો મહિમા તો અપાર છે. આ વાત તો આપણે સૌ કોઈ જાણીએ છે. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જેમને આ દુનિયામાં થી વિદાઈ લેતી વખતે 6 લોકોને નવજીવન આપ્યું છે. જામનગર શહેરના દીપકભાઈનો આ ભવ ખરા અર્થે સાર્થક થયો કારણ કે આ ભવમાં માણસ ખરાબ કર્મોનું પોટલું લઈને જાય છે, જ્યારે તેમના પરિવારના એક નિર્ણયના લીધે પુણ્યનું ભાથું બાંધ્યુ.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, રક્તદાન મહાદાન છે અને એનાથી ઉત્તમ દાન હોય તો તે છે અંગદાન.આ દાનની અનેક જીવોને નવું જીવન મળે છે. હાલમાં જ એક આવી ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગરના વતની દીપકભાઈ ત્રિવેદી કે જેનું બ્રેનડેથ થતાં તેમના શરીરના અંગોનું દાન કરવાનો પરિવારે નિર્ણયકરેલ. આજરોજ રાજકોટની સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર સર્જાયો હતો જે મારફત અમદાવાદ સુધી બોડી પાર્ટસ પહોંચાડાયા છે.

42 વર્ષીય જામનગરના વતની દીપકભાઈ ત્રિવેદી ખાનગી કંપનીમાં નોકરી કરતાં હતા. ગત 22 નવેમ્બરનાં રોજ સવારે તેમણે ખુબ જ માથું દુખવા લાગ્યું અને ઉલટી થઈ અને બેભાન થઈ ગયા. તેમને પ્રાથમિક સારવાર માટે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. લદીપકભાઈને ખુબ જ વધારે પ્રમાણમાં બ્રેઈન હેમરેજ થઈ ગયું છે અને એમાં સુધારો થઈ શકે એવી કોઈ શક્યતા નથી છતાં પણ સારવાર ચાલુ રાખી પરંતુ એમાં સફળતા ન મળતા દર્દીનું બ્રેઈનડેથ થયું.

દિપક ભાઈ પોતે જતા જતા પણ છ વ્યક્તિઓની જિંદગીમાં નવો જીવ પુરતા ગયા.એમનાં અંગોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ, ઝાયડસ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ, કીડની હોસ્પિટલનાં બે દર્દીઓમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ અને રાજકોટની આઈ બેંકમાં ચક્ષુદાન કરવામાં આવ્યું. આ કારણે છ વ્યક્તિઓની જિંદગીમાં નવો જીવ પુરતા ગયા. આ સમગ્ર કુટુંબને કોટી કોટી વંદન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!