સુરત ના ૨૩ વર્ષના યુવાન ના લીધે સાત લોકોને નવું જીવન મળશે ! તેના પરિવાર…..
ગુજરાત નું સુરત શહેર ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે તો જાણીતું તું છે જ પણ હવે ખાસ સુરત આપણા દેશમાં ઓર્ગેન ડોનર શહેર તરીકે પણ જાણીતું થયું છે. હાલના સમયમાં સુરત શહેર માં ઘણા બ્રેઈનડેડ ના કિસ્સાઓ બની ચુક્યા છે, અને તે બ્રેઈનડેડ થયેલ વ્યક્તિ ના પરિવારોએ તે બ્રેઈનડેડ વ્યક્તિ ના અંગોનું દાન કરી ઘણા માણસો ના જીવ બચાવ્યા છે, તેવીજ વાત કરીએ તો.
સુરત શહેર ના ડીંડોલીમાં રહેતા અને ઓનલાઈન સાડી વેચાણ ના વ્યવસાય સાથે સંકળાયેલા નામે પ્રયાગ હંસરાજભાઈ ઘોણીયા (ઉ.વ.-૨૩) ૭ નવેમ્બર ના રોજ મુંબઈ થી પોતાના મિત્રો સાથે કારમાં સુરત આવી રહ્યો હતો, પરંતુ બન્યું એવું ચારોટી પાસે ટાયર ફાટતા તેની કાર ડિવાઈડર સાથે અથડાતા પ્રયાગને માથામાં અને કરોડરજ્જુમાં ઘણી ઈજાઓ થવાથી તેને તાત્કાલિક કાસામાં આવેલ સબ ડીસ્ત્રિક્ટ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં તેની પ્રાથમિક સારવાર થયા બાદ વાપીની હરિયા હોસ્પીટલમાં દાખલ કરી તેની વધુ સારવાર માટે સુરતની યુનિટી હોસ્પિટલ માં તેની સારવાર કરવામાં આવી. ત્યારબાદ તેના નિદાન બાદ સીટી સ્કેન દ્વારા જાણવા માં આવ્યું કે તેને બ્રેઈનહેમરેજ અને મગજમાં સોજો અને લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને કરોડરજ્જુ ના મણકામાં ફેકચર થયું હોવાનું જાણવા મળ્યું.
ત્યારબાદ પ્રયાગ ની તબિયત વધુ ગંભીર બનતા પ્રયાગ નું એમઆરઆઈ કરાવતા મગજમાં લકવાની અસર જણાતા ૧૪ નવેમ્બર ના રોજ ક્રેનીયોટોમી કરી તેના મગજના સોજાને દુર કરવામાં આવ્યો હતો, પરંતુ ૧૫ નવેમ્બર ના રોજ ડોક્ટરોએ પ્રયાગ ને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. અને આની જાણ થતા ડોનેટ લાઈફ ની ટીમ ત્યાં પહોંચી હતી. અને પ્રયાગના પરિવાર ને અંગદાન વિષે માહિતી આપી અને તેની તમામ પ્રક્રિયા સમજાવી.
ડોનેટ ટીમ સાથે પ્રયાગ ના પિતા નામે હંસરાજભાઈ અને માતા રમાબેન સાથે અંગદાન ની વાત કરતા તેમણે એવું જણાવ્યું કે, જે થવાનું હતું એતો થઇ ગયું, અને હવે અમારા પુત્ર નું મૃત્યુ નિશ્ચિત જ છે, અને જો તેના અંગોના દાનથી કોઈક નુ જીવન બચી જતું હોઈ તો તેનાથી વિશેષ તેના જીવનમાં કઈજ નથી, અને અમો ઘણીવાર સમાચાર માં પણ જોતા અને વાંચતા હોઈ છે કે આ એક ઈશ્વરીય કાર્ય છે, તેથી અમો બંને તેના માતા-પિતા પ્રયાગ ના અંગોનું દાન કરવાની સંમતી આપીએ છીએ.
પ્રયાગ ના અંગોના દાન ની વાત કરીએ તો તેનું લીવર અને બંને કીડની અમદાવાદ, મોકલવામાં આવ્યું હતું.અને તેના ફેફસા ની ફાળવણી ચેન્નઈ ની એમજીએમ હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. આવીરીતે પ્રયાગ ના અલગ અલગ અંગોનું દાન કરી તેના દ્વારા સાત વ્યક્તિઓ ને નવજીવન મળશે. આ તમામ અંગોનું દાન કરનાર પ્રયાગ ના માતા-પિતા ને તેના વ્હાલસોયા પુત્ર ના અંગોનું દાન કરનાર ને સાક્ષાત નમન છે.