હે ભગવાન! પૈસા નો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા નવ વર્ષ ના માસુમ ની બલી ચડાવી દેવાઈ…ઘટના જાણી ભાન ભુલી જશો…
આજના સમયમાં એવી ઘટનાઓ બને છે કે, એક પળ માટે આપણે વિશ્વાસ ન કરી શકીએ કે આવું પણ હોય શકે છે. હાલમાં જ અંધશ્રદ્ધાની આળમાં એક નવ વર્ષના બાળકનો જીવ લેવાયો. આ ઘટના જાણીને તમારા રૂંવાટા ઉભા થઇ જશે. ખરેખર આ ઘટના તમને વિચલિત કરી શકે છે. ચાલો અમે આપને જણાવીએ કે હૈયુ કંપાવી દેનાર આ બનાવ ક્યાં બન્યો છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, તાલુકાના કરવડ ગામ નજીકથી થોડા દિવસ અગાઉ નહેરમાંથી એક નાના બાળકનું ધડ મળી આવ્યું હતું. આ વાત વાયુવેગે પ્રસરતા તાત્કાલિક જ સેલવાસ અને વલસાડ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી. આ બાદ આજે સેલવાસ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.
આ ઘટના અંગે તપાસ દ્વારા ચોંકાવનાર ખુલાસા સામે આવ્યા હતા અને તમને જાણીને આશ્ચય થશે કે કોઈ વ્યક્તિ આટલી નિમ્ન કક્ષાએ કઈ રીતે જઇ શકે છે. વાત જાણે એમ છે કે,
આંગણામાં રમી રહેલ કોહલા પરિવારનો 9 વર્ષીય લાડકવાયો ચૈતા ગુમ થતા પરિવારે ફરીયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ વાપીમાં મળી આવેલા ધડ અને ગુમ થયેલ ચૈતાની કડી જોડવા સેલવાસ અને વલસાડ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
રા મુખ્ય આરોપી એક સગીર સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ બાદ આરોપીઓ દ્વારા મોટો ખુલાસો બહાર આવ્યો છે. ચૈતા નામના બાળકની હત્યા પૈસાનો વરસાદ કરાવવા અને અસીમ શક્તિ મેળવવા મેલી વિદ્યા માટે નર બલી ચઢાવવામાં આવી હોવાનો વાત સામે આવી છે.
મુખ્ય સગીર આરોપી ચિકન શોપ પર ખાટકીનું કામ કરતો હતો. તેમણે રમેશ નામના આરોપી પાસેથી પૈસાનો વરસાદ કરાવવાની લાલચે મેલી વિદ્યા કરાવી હતી. જણાવી દઈએ કે, પોલીસે માહિતી આપી હતી કે, સગીર આરોપીએ ચૈતાનું અપહરણ કરી તેના સહ-આરોપી શૈલેષ સાથે મળીને તેની હત્યા કરી હતી.
વાપીમાં મળી આવેલ ધડની ઓળખ આ પરિવારે કરી છે. પરિવારનું માનીએ તો આ ડેડબોડીના હાથ પર બાંધવામાં આવેલ દોરાના આધારે તેમજ કદ કાઠી જોઈને પરિવારે વાપીમાંથી મળી આવેલ બાળકનો મૃતદેહ પોતાના લાડકવાયા ચૈતાનો હોવાનો દાવો કર્યો છે. આથી સેલવાસ પોલીસે વધુ તાપસ કરતા સાયલી વિસ્તારના સ્મશાન પાસે એક બાળકનું માથું અને પગનો ભાગ પણ મળી આવ્યો હતો. દમણ ગંગા નદીના કેનાલનું વહેણ વાપી તરફ હોય છે. જેથી ચૈતાનો મૃતદેહ નહેરના પાણીમાં સાયલીથી વાપી સુધી તણાઈ આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.