કાર્યકર હોય તો આવા! રમણલાલના વિજય માટે 23 દિવસથી કાર્યકરે ચપ્પલ કે બુટ નથી પહેર્યા, એટલુ જ નહી વિજય પછી પણ….
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ ચાલી રહી છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આપ તમામ પક્ષ પોતે સત્તામાં આવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સીટો પર મતદાન થઈ ચૂક્યું છે. હવે ફેઝ 2માં ઉત્તર ગુજરાતની સીટો માટે 5મી તારીખે મતદાન થશે.
આ વખતે ઈડર વિધાનસભામાં રમણલાલ વોરાને ફરીથી રીપીટ કરવામાં આવ્યા છે. 2017 ની વિધાનસભા ચૂંટણીમાં તેઓને દસાડા સીટ પરથી ચૂંટણી લડવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો. જો ઈડર વિધાનસભાની વાત કરીએ તો ભાજપ માટે ગઢ સમાન છે અને રમણલાલ વોરા તેમનું મુખ્ય કેન્દ્ર છે. આ વખતે ફરીથી કાર્યકરોના ઉત્સાહે રમણલાલને ટિકિટ અપાવી છે અને વિજય પણ બનશે તેવો સ્પષ્ટ આસાર દેખાઈ રહ્યો છે.
પરંતુ આ બધાની વચ્ચે જ્યારે ટિકિટો વેચવાની બાકી હતી તે વખતથી એક ભાજપના કાર્ય કરે એવી બાધા રાખી હતી કે રમણલાલ વોરા ને ઇડર સીટ પર ટિકિટ આપવામાં આવે અને ત્યારબાદ તેઓ વિજય બનશે ત્યાં સુધી તેઓ પગમાં બુટ કે ચંપલ કઈ જ વસ્તુ પહેરશે નહિ.
આજે પણ ભાજપ માટે સાચા અને કર્મનિષ્ઠ પાયાના કાર્યકરો દિલથી મહેનત કરી રહ્યા છે. ગંભીરપુરા ગામના ઉપેન્દ્રસિંહ દ્વારા ઇડર વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ તથા કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂકેલ રમણલાલ વોરા માટે એક આકરી બાધા રાખી હતી. આમ જોઈએ તો આ શ્રદ્ધા અને કરમઠ કાર્યકર નો સહયોગ છે કેમકે માતાજીની બાધા રાખવી એ શ્રદ્ધાનો વિષય છે અને જે ચંપલ કે બુટ વિના ઉઘાડા પગે રહેવાની બાધા રાખવી એક કર્મઠ બાધા કહેવાય.
ગંભીરપુરાના ઉપેન્દ્રસિંહે રમણલાલ વોરા ને ટિકિટ મળે તે માટે મા અંબાની બાધા રાખી હતી તેથી છેલ્લા 23 દિવસથી તેઓ ચપ્પલ કે બુટ પહેરાવીના રમણલાલ વોરા ના તમામ કાર્યક્રમમાં હાજરી આપી અને દિલથી મહેનત કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ રમણલાલ વોરા વિજય બને તે માટે ખુલ્લા પગે માં અંબાના દર્શન કરી અને ત્યારબાદ જ ચંપલ કે બુટ પહેરવા તેઓ પણ દ્રઢ સંકલ્પ કર્યો છે.
ફોટામાં જોઈ રહ્યા છો તેમ ઉઘાડા પગે પ્રચાર હોય કે કોઈપણ રેલી હોય દરેક જગ્યાએ ઉપેન્દ્રસિંહ એ પોતાની હાજરી આપી છે. તેઓ હાલ પાનોલ કેન્દ્રના ઇન્ચાર્જ તરીકે કામ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી રમણલાલ વોરા વિજય ન બને અને ત્યારબાદ હું માં અંબાના દર્શન કરી અને પછી ચંપલ કે બુટ પહેરીશ. આ બાધાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કેટલા દિલથી પોતાની પાર્ટી માટે કામ કરી રહ્યા છે તે સ્પષ્ટ દર્શાવે છે. હાલ ઈડર વિધાનસભા ક્ષેત્રનો માહોલ જોવામાં આવે તો રમણલાલ વોરા ખૂબ જ મોટી લીડ થી વિજય બનશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. રમણલાલ વોરાએ લોકો માટે ખુબ જ સારા કામ કરે છે અને ઇડરની જનતા ફરીથી રમણલાલ પર વિજયનો તાજ પહેરાવશે તેવું દેખાઈ રહ્યું છે